SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [હું ૧૨૨] ઘટતી જાય. અનુભવ થાય તે જ ભવમાં કેવળજ્ઞાન સુધીનો પુરુષાર્થ ન ઉપડે તો આયુષ્ય પૂરું થયે દેવ થાય. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થાય. એવા એકાદ-બે ભવ કરવા પડે તો પણ તેને રાગની મંદતા છે અને પુરુષાર્થ ચાલુ છે તેથી વૃદ્ધિ જ કરતો જાય છે. આત્માનુભવના ફળમાં શ્રુતકેવળી થાય, ભલે ૧૨ અંગનું જ્ઞાન ન હોય પણ શાસ્ત્રના ભણતર વગર આત્માના ભણતરથી શ્રુતકેવળી થાય. અનુભવની જાત જ એવી છે કે અંદરથી આગળ વધતાં શ્રુતકેવળી થઈ જાય. વળી આત્માનુભવના ફળમાં શુદ્ધિની તો વૃદ્ધિ થાય પણ સાથે પુણ્ય બંધાય તેના ફળમાં બહારની સગવડતાઓ પણ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ, ચક્રવર્તી આદિના ભવો પુણ્યના ફળમાં અનુભવીને જ પ્રાપ્ત થાય છે. જેમ કેરી વાવે તો પહેલાં ડાળાં-પાંદડાં થાય અને પછી કેરીનું ફળ પાકે તેમ આત્માનો અનુભવ થતાં પહેલાં શુભરાગના ફળમાં સ્વર્ગ ચક્રવર્તી આદિના સુખો પ્રાપ્ત થાય અને પછી પૂર્ણાનંદ-કેવળજ્ઞાનનું સુખ પ્રાપ્ત થાય. એ રીતે બીજો દાખલો પણ છે કે ચક્રવર્તીના ઘર તરફનો રસ્તો પણ કોઈ જુદી જાતનો વૈભવયુક્ત હોય. તે રસ્તેથી ચાલનાર વચ્ચે થોડો આરામ પણ લે. તેમ મોક્ષમાર્ગથી નિર્વાણ પહોંચવા માટે આત્માનુભવની સુખદાયી સડક ઉપર જ્ઞાની ચાલે છે. મોક્ષરૂપી મહેલે પહોંચતા પહેલાં પણ અનુભવી સુખરૂપી સડકે ચાલે, તેને દુઃખ નથી. વચ્ચે સ્વર્ગ આદિ અનુકૂળ સંયોગો પામીને અંતે મોક્ષમહેલમાં પહોંચી જાય છે અને આઠય કર્મોનો નાશ કરીને સિદ્ધદશા પ્રાપ્ત કરે છે. પ્રજા ઉપર રાજાની મીઠી નજર હોય તેમ શિષ્યો ઉપર ભગવાનની મીઠી નજર હોય. ભગવાન કહે છે કે ચૈતન્યરત્નથી ભરેલાં રત્નાકર ઉપર જે દૃષ્ટિ કરશે તે બધાં ભગવાન થશે. કુંદકુંદ આચાર્ય મહાવિદેહમાં ભગવાન સીમંધરનાથના સમવસરણમાં ગયેલાં, ત્યાં દિવ્યધ્વનિમાં આચાર્યને આશીર્વાદ મળેલાં. જુઓ ! આચાર્ય માટે ભગવાનની વીતરાગી વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના ધર્મ-ધરંધર આચાર્ય છેઆમ ભગવાનના કુંદકુંદ આચાર્યદવને આશીર્વાદ મળ્યા. આચાર્યદવ અત્યારે દેવલોકમાં છે, પછી પુરુષાર્થ ઉપાડી મોક્ષે જશે. આત્માનું ધ્યાન કરતાં વીર્ય ફાટતાં અનંત કેવળજ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ખીલી ઊઠે છે-એમ અહીં કહ્યું. હવે ૬૩ મી ગાથામાં કહે છે કે પરભાવનો ત્યાગ તે સંસારના ત્યાગનું કારણ છે. जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणंति । વન-MTU-સજીવ તડું [?] તે સંસારું મુવતિ || દૂરૂપા જો પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ, કેવળજ્ઞાન સ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩. અહોહો !! મુનિરાજે એકલું માખણ ભર્યું છે. અહીં ત્યાગધર્મની મુખ્યતા બતાવે છે. ત્યાગ એટલે વિકલ્પોનો પરભાવોનો ત્યાગ. જે કોઈ ધર્માત્મા શુભાશુભ રાગાદિ પરભાવોનો ત્યાગ કરી પોતાને પતા વડ જાણે તે કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત કરી ભવતાપનો નાશ કરે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy