________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[પ્રવચન નં. ૨૨]
ભવતાપહરણ અર્થે
નિજ-પરમાત્માને નિજ વડે જાણ [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૩૦-૬-૬૬ ] આ યોગસાર શાસ્ત્ર છે. તેમાં અહીં ૬૨ મી ગાથા ચાલે છે.
अप्पइ अप्पु मुणंतयहं किं णेहा फलु होइ । केवल-णाणु वि परिणवइ सासय-सुक्खु लहेइ ।। ६२ ।। નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬૨. આ યોગસારમાં બહુ સારામાં સાર વાત છે. પુણ્ય-પાપના વિકાર અને શરીરાદિથી રહિત આત્મા આનંદનો કંદ છે. વિકાર તે આસ્રવ તત્ત્વ છે, દેહાદિ તે અજીવ તત્ત્વ છે અને આત્મા પોતે જીવતત્ત્વ છે. એ જીવતત્ત્વમાં છે શું?–કે આત્મામાં જ્ઞાન, આનંદ, શાંતિ, વીર્ય, પ્રભુતા, વિભુત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ આદિ અનંત ગુણો છે એવા આત્માને આત્માથી એટલે કે પોતાને પોતાથી જાણવો તે જ મોક્ષમાર્ગ છે.
અહીં બહુ ટૂંકી અને સારામાં સારી વાત કરી છે. વિકાર રહિત નિજ આત્માનો વિકાર રહિત નિજ પરિણતિથી-પર્યાયથી અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. એ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ છે જ નહિ. ભગવાન આત્મા અર્થાત્ નિજ પરમાત્મા ઉપર દષ્ટિ કરીને પર્યાયમાં તેના અનુભવ કરતાં શું ફળ પ્રાપ્ત ન થાય? વચ્ચે મતિશ્રુતજ્ઞાનની વિશેષતા પ્રગટે, અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય અને ક્રમે ક્રમે એ અનુભવ વધતાં વધતાં કેવળજ્ઞાન થાય. શું ફળ પ્રાપ્ત થાય? બધું જ થાય. અનુભવની સાથે વ્રત-તપ આદિના શુભવિકલ્પ હોય, તેનું જ્ઞાન કરાવ્યું છે પણ એ કાંઈ મોક્ષમાર્ગ નથી સ્વભાવનું સાધન તો સ્વભાવ જ છે. સર્વજ્ઞ વીતરાગ સ્વભાવી આત્માનું વીતરાગી પર્યાય દ્વારા જ જ્ઞાન થઈ શકે, અનુભવ થઈ શકે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ વીતરાગી પર્યાય જ મોક્ષમાર્ગ છે.
આત્માનો અનુભવ કરતાં શું ફળ ન પ્રાપ્ત થાય? બધું જ થાય. પહેલું તો અતીન્દ્રિય આનંદનું વેદના થાય, પહેલું ફળ જ આનંદ છે. કેમ કે પોતે અતીન્દ્રિય આનંદનો ઢગલો છે, પુંજ છે, તેમાંથી આનંદ જ આવે. વળી એ આનંદ કેવો છે ?-કે જેવો અરિહંત અને સિદ્ધ ભગવાનને આનંદ છે તે જ જાતનો આનંદ ધર્મીને અનુભવમાં આવે છે. તે અનુભવનો આનંદ એવો છે કે તેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ ધર્મીને સડેલાં તરણા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com