________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
પ્રીતિપૂર્વક પોતાની વાત સાંભળે તો અવશ્ય મુક્તિનું ભાજન બને. અનંતગુણમય આત્મામાં અનાદિ અનંત એક પ્રકાશ નામનો ગુણ છે, જેનાથી આત્મા પ્રત્યક્ષ થાય. પરોક્ષ ન રહે. ૪૭ શક્તિમાં આ “પ્રકાશ” નામની ૧૨મી શક્તિ છે. સીધો પ્રત્યક્ષ થઈને પોતે પોતાને જાણે એવો આ ગુણ છે. પોતાને જાણીને પોતામાં નિજ આત્મામાં રહેવું તે જ આત્માનું ઘર છે. પોતાનું જ્ઞાન જ પોતાના વસ્ત્ર છે. નિજ આત્મિક રસ એ જ પોતાનું ભોજન છે. અને આત્મિક શૈયા એ જ જ્ઞાનીની શૈયા છે. આવી રીતે આત્માને પ્રત્યક્ષ જાણીને જે વેદે છે તે સંસારથી મુક્ત થાય છે માટે પોતે પોતાનું પ્રત્યક્ષ સ્વસંવેદના કરવું તે જ મુક્ત થવાની વિધિ છે, એ સિવાય મુક્તિની બીજી કોઈ વિધિ નથી.
પાંચ પદ શરણરૂપ છે એટલે કે પાંચ પદરૂપ પોતાનો આત્મા જ શરણરૂપ છે. કહ્યું છે ને! કે વર્તમાનમાં સિદ્ધદશા તો નથી, તો સિદ્ધનું ધ્યાન કેમ હોય ! જૂઠ-મૂઠ છે; અરે! અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં મૌજુદ છે અને તેથી તેનું ધ્યાન કરતાં પ્રત્યક્ષ શાન્તિનું વેદન આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે.
-પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com