________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૧૧ [ પ્રવચન નં. ૨૦] ભાઈ ! તારા પરમાત્માની ઓળખાણ કર! [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૮-૬-૬૬]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. પ૬ ગાથા પૂરી થઈ છે પદમી ગાથામાં એમ આવ્યું કે “આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે” તે જ્ઞાનને જ્ઞાનથી પ્રત્યક્ષ ન જાણે ત્યાં સુધી એને આત્માનું કોઈ કાર્ય થાય નહીં. ચૈતન્ય ચૈતન્યને પ્રત્યક્ષ જાણીને વેદનમાં લે અને તેમાં સ્થિર થાય તો જીવની મુક્તિ થાય.
रयण दीउ दिणयर देहिउ दुध्दु धीव पाहाणु । सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिटुंता जाणु ।। ५७।। રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પત્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. પ૭. આ ગાથામાં ૯ દષ્ટાંત વડે આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
૧. આ આત્મા રત્ન સમાન છે. જેમ રત્ન પ્રકાશમય છે તેમ આ આત્મા જ્ઞાનપ્રકાશમય છે. રત્ન જેમ નિત્ય-કાયમ ટકનાર છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપે અવિનાશી કાયમ ટકનાર છે. રત્ન જેમ કિંમતી ચીજ છે તેમ આત્મા પણ અલૌકિક અચિંત્ય સમ્યજ્ઞાન સ્વરૂપ મહા કિંમતી-અમૂલ્ય ચીજ છે. આત્મજ્ઞાનરૂપી રત્નના સ્વામી સમ્યગ્દષ્ટિ ઝવેરી છે. ગમે તેવું રત્ન હોય પણ તેની કિંમત આંકનાર ઝવેરી વગર તેની કિંમત ઓળખાય નહીં તેમ સમકિતી ઝવેરી વગર મિાદષ્ટિ જ્ઞાનરત્નને પારખી ન શકે. કેમ કે શરીરની ક્રિયા વડ કે રાગ-દ્વેષ વડે તેની પરીક્ષા થઈ શકતી નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ રત્નો છે-પર્યાય છે. તે ત્રણ રત્ન વડે તેની પરીક્ષા થઈ શકે તેમ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ કરે-કિંમત ભરે, તો ચૈતન્યરત્ન પ્રાપ્ત થાય.
૨. આત્મા દીપક સમાન સ્વ-પરપ્રકાશક છે. દીવો જેમ પોતાને અને અન્ય પદાર્થોને પ્રકાશે છે પણ પરરૂપે થતો નથી, તેમ આ ચૈતન્ય દીવો પોતાને અને પરદ્રવ્યગુણ-પર્યાયને પ્રકાશનારો છે પણ તે પરદ્રવ્યરૂપે થઈ જતો નથી. શરીરને જાણે, રાગ, કર્મ, પુગલ આદિ બધાને જાણે પણ તે-રૂપે થઈ જતો નથી. જડદીવો તો બુઝાઈ જાય છે પણ આ ચૈતન્યદીવાને મનની-રાગના વિકલ્પરૂપ તેલની જરૂર નથી ઝળહળ જ્યોતિ, અનાદિ અનંત દેહરૂપી દેવળમાં બિરાજમાન છે. વળી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને એક સમયમાં જાણી લે એવો સ્વ-પરપ્રકાશક ચૈતન્યદીવો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com