________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ અથવા તો તે પર્યાયમાં જ્ઞાયક જ જાણવામાં આવ્યો છે. પરંતુ પર જાણવામાં આવ્યું છે એમ છે નહીં. અહા ! સ્વસમ્મુખ થઈનેસ્વનો આશ્રય લઈને-પોતાના નિત્યાનંદ ધ્રુવ જ્ઞાયક ચૈતન્યપ્રભુનું જે સમ્યજ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયમાં રાગ, શરીરાદિ બહારની ચીજ જાણવામાં આવે છે તો કહે છે કે તે પરને કારણે પર જાણવામાં આવે છે એમ નથી. પણ એ પર્યાયનો જ એટલો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ થઈને તે પોતાનામાં પોતાની પર્યાય છે એમ જાણે છે. આવું છે. માર્ગ બહુ સુક્ષ્મ છે ભાઈ ! અત્યારે સંપ્રદાયમાં તો બધા ગોટા ઊડ્યા છે. પણ એને બિચારાને જ્યાં ખબર નથી ત્યાં હવે એ શું કરે? અરે! આ ચીજ કે જે અંદર છે તે આખી રહી જાય છે!
અહા! નિત્યાનંદ સહજાત્મસ્વરૂપ, સહજ સ્વભાવી, સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં કે જેમાં એ પર્યાય પણ નથી એવા સ્વભાવસ્વરૂપ એ વસ્તુમાં પરથી દષ્ટિ ઉઠાવીને દષ્ટિ લગાવવી. તો એ દષ્ટિ શુદ્ધ છે અને વસ્તુ પણ શુદ્ધ છે. અને જે શુદ્ધ દષ્ટિ થઈને સ્વનું જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયનો અપર પ્રકાશક સ્વભાવ હોવાથી તે પર્યાયમાં પર પણ જાણવામાં આવ્યું. તો એ પરના કારણે પરનું જ્ઞાન પર્યાયમાં થયું છે એમ નથી. પરંતુ એ તો પોતાના સ્વપર પ્રકાશક સામર્થ્યથી પરના જાણવાનો વિકાસ થયો છે. આવી વાત છે. અરેરે! અત્યારે તો જ્યાં સાંભળીએ ત્યાં જુવાન-જુવાન માણસને હાર્ટફલ, બેઠા-બેઠા વાત કરતા હોયને હાર્ટફલ-એવું સાંભળીએ છીએ. અહા ! તે બિચારા મરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com