________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
જ્ઞાયક ભાવ ક્યાં જાય ! તેના બંગલા અને પૈસા બધા અહીં પડ્યા રહે અને તે કયાંય રખડવા ચાલ્યો જાય. ઢોરમાં-પશુમાં અવતાર કરે પ્રભુ! તેનાથી ઊગરવાનો આરો જો કોઈ હોય તો તેનાથી ઊગરવાનો આરો તો એ ચૈતન્ય દ્રવ્ય છે. જે ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, સ્વભાવભાવ, કાયમીભાવ, અસલીભાવ, નિત્યભાવ છે તેની દષ્ટિ કરવાથી એટલે કે તેમાં પ્રવેશ કરવાથી જે સમ્યગ્દર્શન થાય તે સમ્યગ્દર્શન અનંત ભવનો અંત કરવાવાળું છે. બાકી બીજી કોઈ ચીજ-દયા, દાન, વ્રત, ભક્તિ આદિ–તો સંસાર છે.
તો કહે છે કે આ હું જાણનારો છું તે હું જ છું. શરીર અને રાગાદિની જે જડની ક્રિયા થાય છે તેનું અહીંયાં (આત્મામાં) જ્ઞાન થાય છે, તો, તે હું જ છું. અર્થાત્ તે જ્ઞાનની પર્યાય મારી છે, મારાથી ઉત્પન્ન થઈ છે. પણ પરથી ઉત્પન્ન થઈ નથી. અન્ય કોઈ નથી એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો પોતાનો ભગવાન સ્વરૂપ ચૈતન્ય પ્રભુ આત્માનું પોતાનું જ્ઞાન થયું. તો એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે.
અહા ! આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવની વાણી છે. તો તેઓ કહે છે કે પ્રભુ! તું કોણ છો? કેવો છો? હું તો જ્ઞાયક છું.
કેટલા સમયનો છો? (કયારનો છો?) હું તો ત્રિકાળ છું. તો તારામાં કોઈ પર્યાયનો ભેદ છે કે નહીં? તને જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com