________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
જ્ઞાયક ભાવ એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવ તો શુદ્ધ છે. પણ હવે તેનું પર્યાયમાં જ્ઞાન થયું તો, તેનું જ્ઞાન જે પર્યાયમાં થયું તે જ્ઞાનની પર્યાયમાં સ્વ તો જાણવામાં આવ્યો. પરંતુ તે જ્ઞાનની પર્યાયમાં અવસ્થામાં પર પણ જાણવામાં આવ્યું છે. તો, પર જાણવામાં આવ્યું માટે, એટલે તો તે શેયકૃત પરાધીનતા જ્ઞાનમાં આવી છે એમ છે નહીં પણ એ પર શેયકૃત ભાવ જેમાં જાણવામાં આવ્યો છે તે સ્વજ્ઞયનો પોતાની પર્યાયનો ભાવ છે. પણ જ્ઞયકૃત થયો છે એમ છે નહીં. આવી વાત છે. ભાષા તો સાદી છે. પણ ભાવ તો જે હોય તે પ્રમાણે જ હોય ને!
“જાણનાર” એમ કહેવામાં આવ્યું તો જાણનારે પોતાને તો જાણ્યો. પરંતુ તેને પરને જાણવાના કાળમાં જેવી પર ચીજ છે તેવું જ્ઞાન થાય છે તો એવી જ્ઞાનપર્યાય પરના કારણથી થઈ છે એમ છે નહીં, એ પરને જાણવાની પર્યાય પણ પોતાની શક્તિના વિકાસથી થઈ છે. અર્થાત્ એ તો સ્વપરપ્રકાશક શક્તિનો વિકાસથી થયો છે, પ્રગટ થઈ છે. માટે એ પોતાની પર્યાય છે અને પોતાથી પ્રગટ થઈ છે. પરથી નહીં.
અહા! અનાદિકાળથી અજ્ઞાનને કારણે રખડી રખડીને પરિભ્રમણ કરે છે. તેમાં કાગડા, કીડા, ને કંથવાના ભવ અનંત કર્યા છે. અને હજી પણ જ નહીં સમજે તો મરીને ત્યાં જશે. પછી ભલેને તે અહીંયાં કરોડપતિ હો ને માંસ-દારૂ આદિ ખાતો ન હો. પરંતુ વસ્તુનું ભાન નથી અને માયા, કપટ, લોભાદિના ભાવ કરે છે તો મરીને પશુમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com