SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૮૯ નથી–એ પ્રમત્ત-અપ્રમત્ત અને પુણ્ય-પાપના ભાવ વસ્તુના સ્વરૂપમાં નથી. અને તેમાં ભેદ નથી તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી.” એ કારણે પ્રમત્ત-અપ્રમત્ત નથી.” એ કારણે પ્રમત્તઅપ્રમત્ત એવા જે ગુણસ્થાનના ભેદ છે તે તેમાં નથી. જેમ સીડી ચઢવા માટે પગથિયાં હોય છે ને ! તેમ જે ગુણસ્થાનના ચૌદ ભેદ પર્યાયમાં છે તે દ્રવ્યમાં છે નહીં. જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે જાણનાર... જાણનાર... એવું કહેવામાં આવે છે તો જાણનાર પરને જાણે છે માટે જાણનાર છે ને? ના. એ તો પરને જાણવાના કાળમાં પોતાના જ્ઞાનની વિકાસશક્તિ પ્રગટ થઈ છે. અને તે પોતાથી થઈ છે. પર્યાયમાં પરને જાણવાનું અને સ્વને જાણવાનું જે થાય છે તે પર્યાયનો વિકાસ વ્યક્ત પ્રગટ થયો છે. અને તે પોતાથી થયો છે. પરથી નહીં. તો કહે છે કે જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે. કારણ કે જ્ઞયનું પ્રતિબિંબ જ્યારે જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે”—હવે અહીં પર્યાયની વાત ચાલે છે હો. અહા! તેની પર્યાયમાં રાગ જાણવામાં આવે છે, શરીર છે એમ જાણવામાં આવે છે. અર્થાત્ જ્ઞાનની પર્યાયમાં તેની ઝલક નામ તે જાણવામાં આવે છે. તો શયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છેજ્ઞાનની પર્યાયમાં અપર પ્રકાશક પર્યાયના સામર્થ્યથી જે વિકાસ થયો છે તેમાં રાગ અને શરીરાદિ જાણવામાં આવે છે. ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે-જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે હું તો જ્ઞાનની પર્યાય છું. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy