________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
જ્ઞાયક ભાવ પહોંચી વળવાની તેનો ભેટો કરવાની આ વાત છે પ્રભુ! પામરને ભેટીને પડ્યો છો તો પ્રભુ! હવે એકવાર પ્રભુતાની ભેટ કર. તારી પામરતા નાશ થઈ જશે.
પ્રશ્ન:- આખા સમાજને આવો ઉપદેશ?
બાપુ! સમાજને પણ અંદર આત્મા છે ને! પ્રભુ છે ને! જ્યારે આ શરીર તો જડ, માટી છે. આ જાણનારને જણાવે છે કે તું તો જાણકપણે જ કાયમ રહ્યો છે ને! જ્યારે આ અમારી સામું જોઈને તું સાંભળે છે અને જે રાગ થાય છે એ તો પર્યાયમાં થાય છે. અને છતાં પણ તારો જે જ્ઞાયકભાવ છે તે કોઈ દિ' પર્યાયપણે કે રાગપણે થયો જ નથી. તે કાંઈ જડપણે થયો નથી. એટલે? કે શુભાશુભભાવ છે એ તો જડ છે. કેમ કે દયા, દાન, વ્રત, ભક્તિ અને પૂજાનો જે વિકલ્પ ઊઠે છે તેમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. અહા ! આખા જ્ઞાયકપણાનો તો તેમાં અભાવ જ છે. પણ તેના અંશનો પણ તેમાં અભાવ છે એટલે કે દયા, દાન, વ્રત, આદિના પરિણામમાં શાયકનો તો અભાવ છે. પણ તેના એક અંશનો પણ તેનામાં અભાવ છે. અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય કે જેમાં ભગવાન આત્મા જણાણો છે તેવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે. તો પછી જ્ઞાયકનો તો રાગમાં અભાવ જ છે. અરે ! આવી વાત કયાં મળે ?
અહા! કહે છે કે કાંઈ જડપણું થયું નથી. એટલે? કે જે કંઈ શુભભાવ કે અશુભભાવ થાય છે તેમાં ચૈતન્યનો જ્ઞાયકભાવનો તો અભાવ છે, જે પરંતુ તે જ્ઞાયકભાવની જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com