________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૮૧ શ્રદ્ધા, જ્ઞાન આદિની નિર્મળ પર્યાય થાય છે તેનો પણ તેમાં અભાવ છે. તેથી તે શુભાશુભને જડપણું છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા અને ભગવાનનું સ્મરણ એ જે બધો રાગ છે તે જડ છે. જ્યારે ભગવાન આત્મા જ્ઞાયકપણે છે. તો, વસ્તુ કે જે જ્ઞાયકપણે છે એ તો રાગરૂપે થઈ જ નથી, એ રાગમાં આવી જ નથી. પરંતુ જ્ઞાયકની શ્રદ્ધા-જ્ઞાનનાં જે સાચાં કિરણો ફૂટયાં છે તે કિરણોનો પણ રાગમાં અભાવ છે. માટે કહે છે કે જે ભાવને પાંચ મહાવ્રતના ભાવ કહેવાય, ભગવાનનું સ્મરણ કહેવાય તે જડ છે. અર્થાત્ એ ભાવને અહીં તો જડ કીધો છે, તો પછી શું એ જડથી ચૈતન્ય જ્ઞાયકપણું પ્રગટે? જ્ઞાયકપણું તો છે જ પણ જ્ઞાયકપણાના સ્વભાવના સત્કાર, પ્રતીત અને અનુભવથી તેનું ચૈતન્યપણું પ્રગટે છે. પણ એ રાગના ક્રિયાકાંડના પરિણામથી પ્રભુ ન પ્રગટે, આવું ભારે આકરું કામ છે.
અહા! પ્રભુ ચૈતન્ય દ્રવ્ય તો જ્ઞાયકપણે કાયમ રહેલો જ છે. પરંતુ તેને માનનારી જે દષ્ટિ છે અને તેને જાણનારું જે જ્ઞાન છે–તેને જાણનારું જ્ઞાન હો-તે દષ્ટિ અને જ્ઞાનનો અંશ પણ શુભરાગમાં નથી. તેથી એ રાગને-શુભ અને અશુભભાવને જડ કહેવામાં આવે છે.
હવે કહે છે કે અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી રહ્યું છે એટલે કે પર્યાય નથી જ એમ નહીં, પણ પર્યાય છે છતાં પણ અહીંયાં દ્રવ્યની દૃષ્ટિ કરાવવા, જ્ઞાયકપણાની દષ્ટિ કે જે સત્ય છે તે કરાવવા દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. અર્થાત્ જે સત્ય સ્વભાવ છે તેની સતદષ્ટિ કરાવવા દ્રવ્યદષ્ટિને મુખ્ય કરીને કહ્યું છે. પ્રધાન કરીને=મુખ્ય કરીને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com