SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ જ્ઞાયક ભાવ આવો મારગ છે તો આમાં કરવું શું? આમાં કંઈ સૂઝ પડતી નથી. આગમ પ્રમાણે કરવાનું કહો વ્રત પાળો, દયા પાળો, દાનમાં પૈસા આપો કે મંદિર બનાવો એવું કહો-તો સમજાય તો ખરું? ભાઈ ! એ તો રાગ છે. અને રાગપણે જ્ઞાયક પ્રભુ તો કોઈ દિ' થયો નથી. પરંતુ એ તો પર્યાય તેપણે થયેલ છે. કેમ કે જો દ્રવ્ય પોતે રાગપણે થાય તો તો થઈ રહ્યું-દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. એટલે કે દ્રવ્ય જ પોતે રહે નહીં, પરંતુ એ ચીજ તો છે તે જ છે. બધા આત્માની અંદરમાં જ્ઞાયકપણે જ પ્રભુ આત્મા બિરાજમાન છે. અર્થાત્ અંદર જે જ્ઞાયકપણું છે તે છે જ. અને છે તેની દષ્ટિ કરવી છે ને પ્રભુ! તથા પર્યાયની દષ્ટિ (જ્ઞાન) પણ જ્યારે આ દ્રવ્યદષ્ટિ યથાર્થ થાય ત્યારે જ થાય. કેમ કે દ્રવ્યદૃષ્ટિ યથાર્થ થાય પછી પર્યાયને જોવે તો મલિનતા દેખાય છે તે જ્ઞાનને ય છે. સમજાણું કાંઈ ? અને તે એમ પણ જાણે છે કે આ પરિણમન મારી પર્યાયમાં છે. તે મારા દ્રવ્યમાં નથી. છતાં પણ જે પુણ્ય-પાપને ભાવ છે તે મને થાય છે. અને તેનો હું પરિણમન કરનારો હોવાથી કર્તા છું-આમ ન જ્ઞાનથી તે જાણે. પણ વસ્તુદષ્ટિથી જોતાં તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણે જ રહ્યું છે. તો, તેને જોવે, જાણે ને માને તે પછી જ તેની પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય. આવું આકરું કામ છે? આના કરતાં ચાર-છ-આઠ-દસ ઉપવાસ કરી નાખવાનું કહો તો લ્યો, કરી પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy