________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ છે તેને જોવામાં આવે તો એટલે કે વર્તમાન દશામાં મલિનતા છે તેને જોવામાં ન આવે અને કાયમ રહેલી જે ચીજ છે-વસ્તુ જે જ્ઞાયક ધ્રુવ છે–તેને જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે અહીંયાં “ભાવ” લેવો છે. ને! સતનું સતપણું લેવું છે ને ! તો સપ્રભુનું સપણે એ જ્ઞાયકપણું છે એમ કહે છે, અહીં સત્
છે”—એવો જે ભગવાન આત્મા છે તેનું જ્ઞાયક પણ એ એનું સત્ત્વ છે, એનો ભાવ છે, પણ એનું સત્ત્વ છે, એનો ભાવ છે, પણ એનું સત્ત્વ ને એનો ભાવ જે આ પુણ્ય-પાપના ભાવ થાય છે-દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધના ભાવ થાય છે-તે નથી. એ સતનું સત્વ નથી, સતનો કસ નથી. પરંતુ જે સત્ પ્રભુ છે તેનો કસ તો શાયકપણું છે,
પ્રશ્ન- હવે એક તો અમને નવરાશ ન મળે, ફુરસદ ન મળે અને તેમાં આવી વાતુ?
સમાધાનઃ- બાપુ! આ કરવું પડશે ભાઈ ! એ નિવૃત્ત સ્વરૂપ પડ્યું છે તો તેને માટે થોડી નિવૃત્તિ લેવી પડશે, બીજે આવે છે ને! કે “મારી નયણને આળશે રે, મેં નિરખ્યા ન નયણે હરિ'.... હરિ–આત્મા જે રાગ-દ્વષને હરનારો છે એવો હરિ પ્રભુ આત્મા છે, નયનને આળશે તેને જોયો નહીં, અહા ! એ પર્યાય અને મલિનતાની સમીપમાં જ પૂર્ણ જ્ઞાયક પ્રભુ આત્મા પડ્યો છે. પરંતુ તેને જોવાને ફુરસદ લીધી નહીં. જોનારને જ્યાં બહારનું જોવાનું મળ્યું ત્યાં તે (બહારમાં) રોકાઈ ગયો. પણ જેની સત્તામાં જવાય છે તેની સત્તા જોવા નવરો ન થયો. સમજાણું કાંઈ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com