________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
જ્ઞાયક ભાવ
દ્રવ્ય તો જ્ઞાયક ભાવે જ છે. તો એ દૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે–તને જ્ઞાયકપણું જ નજરે પડશે. શું કહ્યું તે સમજાણું? કે જે આત્મા છે, જે જ્ઞાયકભાવ છે, જે જાણકસ્વભાવ ભાવ છે એ તો ત્રિકાળ છે. જ્યારે તેની વર્તમાન દશામાં જે મિલનતા છે એ તો વર્તમાન દશાની પર્યાયમાં તેથી જે વસ્તુ છે તે તો ત્રિકાળ જ્ઞાયકભાવે જ રહેલી છે. માટે એ જ્ઞાયકભાવ કોઈ દિ મલિન થયો નથી, કોઈ દિ' ૫૨૫ણે થયો હોય અને તેને અશુદ્ધતા લાગુ પડી હોય એમ થયું જ નથી. એટલે કે એ ત્રિકાળ જ્ઞાયકભાવ છે તેને આવરણ નથી અહા ! એ તો શાયક પ્રભુ છે. તે વસ્તુ છે ને! ચૈતન્ય વસ્તુ છે ને! જાણક સ્વભાવ..... જાણક સ્વભાવ.... જાણક સ્વભાવ એવો નિત્યાનંદ પ્રભુ આત્મા ધ્રુવ-અણઉત્પન્ન ને અવિનાશી ચીજ છે ને! માટે તને તેની દૃષ્ટિ કરવાનો અવકાશ છે. કેમ કે જ્ઞાયકભાવ જ્ઞાયકપણે રહેલો છે તો તેની દૃષ્ટિ કરવાને તને અવકાશ છે. અને તે જ્ઞાયકની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે.
અહીં કહે છે કે એ જ્ઞાયકપણું દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું જ્ઞાયકપણું જ છે જોયું! જ્ઞાયકપણું જ એમ કહ્યું તેનો સ્વભાવ જાણવું છે. અર્થાત્ જાણવુ એ તેનું સ્વભાવપણું છે, અહા! સત્ પ્રભુ જે આત્મા છે તે સચ્ચિદાનંદ છે. એટલે કે એ ચિદ્દ નામ જ્ઞાન અને આનંદનું સત્ છે, એ તો ત્રિકાળ જ્ઞાન ને આનંદસ્વરૂપે જ બિરાજમાન છે. તેને દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો જે કાયમ રહેલું તત્ત્વ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com