SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૫ જ્ઞાયક ભાવ ત્રણ કાળમાં નથી. કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયકરૂપે ત્રિકાળ રહ્યો છે અને માટે તો તેને (તેની દૃષ્ટિ કરવાનો) અવકાશ છેતે છે એવો તેને માનવાનો અને તેની દષ્ટિ કરવાનો તને અવકાશ છે. અહા! પોતે તો ત્રિકાળ શુદ્ધ છે. કેમ કે દ્રવ્ય ત્રણ કાળમાં કોઈ દિ' અશુદ્ધ થાય જ નહીં. તો એ શુદ્ધપણે પરિણમે-સિદ્ધપણે પરિણમે-તે પણ પર્યાય છે અને અશુભપણે પરિણમે એ પણ પર્યાય છે. તેથી તે શુદ્ધની પર્યાય પણ કાંઈ દ્રવ્યમાં ચાલી ગઈ નથી. આવું સ્વરૂપ છે ભાઈ ! તારું સ્વરૂપ જ એવું છે પ્રભુ! પણ તને ખબર નથી. અહા ! કહે છે કે તને દૃષ્ટિ કરવા માટે અવકાશ છે. કેમ? કેમ કે એ તો જ્ઞાયકપણે જ રહ્યો છે. માટે તેને માનવો એ તને અવકાશ છે, અર્થાત્ પ્રભુ આત્મા તો જ્ઞાયકપણે ત્રિકાળ રહેલો છે. માટે દષ્ટિનો જે વિષય છે એ તો એવો ને એવો રહ્યો છે. અને તેથી, તું દષ્ટિ કરી શકીશ. પણ જો તે મલિન થઈ ગયો હોય અને તેમાં શુદ્ધતા માનવી હોય તો તો મુશ્કેલ પડે. પરંતુ એ તો પર્યાયમાં મલિનતા છે. અરે ! પણ જ્યાં પહેલામાં પહેલી વાતમાં સમ્યગ્દર્શનનાં જ ઠેકાણાં નથી-સમ્યગ્દર્શનથી ધર્મની ભૂમિકા ઉત્પન્ન થાય છે પણ એ વસ્તુ (સમ્યગ્દર્શન) જ જ્યાં નથી–ત્યાં તેના આ બધા વ્રત-તપ કરે ઉપસર્ગ, પરિષ સહુના કરે તે બધું થોથાં છે, સંસાર ખાતે છે પ્રભુ! અહીં કહે છે કે દ્રવ્ય દૃષ્ટિથી જોવામાં આવે.” એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy