________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
જ્ઞાયક ભાવ એ અશુદ્ધતા પર્યાયમાં છે. પર્યાયની દૃષ્ટિથી જોતાં જ્ઞાનીને પણ પર્યાયમાં મલિનતા દેખાય છે. અને તેથી તો કહ્યું કે “મારા અને પરના મોહના નાશ માટે—એનો અર્થ એ થયો કે પર્યાયમાં મોટું છે. ભલે ત્યાં મોહ લીધો છે અને અહીં રાગનો અંશ લીધો છે. તો પણ તે છે તેનું અસ્તિત્વ છે. માટે કહ્યું કે પર્યાયથી જોઈએ તો મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં તે છે નહીં અહા ! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે છે તે છે. અરે, પણ અત્યારે તો આ વર વિના જાન જોડી દીધી છે. આત્મા દ્રવ્ય વસ્તુએ કોણ છે તેના જ્ઞાન અને ભાન વિના બધા વ્રત, તપ અને ભક્તિ કરે છે. અહીં પણ કેમ બેસે? અજ્ઞાની તો એમ કહે છે કે મલિન પર્યાય છે તો પર્યાય દ્રવ્યની છે માટે શું દ્રવ્ય મલિન નથી થયું? પર્યાય દ્રવ્યની છે તેથી અને પર્યાયમાં અશુદ્ધતા છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ ગયું છે ને! પર્યાય અશુદ્ધ થઈ છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે ને! અને પ્રવચન સારજીની નવમી ગાથામાં પણ આવે છે ને કે શુભભાવ વખતે દ્રવ્ય અશુભ છે. અશુભભાવમાં તન્મય છે. અને શુદ્ધભાવ વખતે દ્રવ્ય શુદ્ધ છે-શુદ્ધભાવમાં તન્મય છે! અરે ભગવાન! પણ એ તો પર્યાયની તન્મયતાની વાત છે. શુભભાવ વખતે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે. અર્થાત્ એ પર્યાય બીજાની છે અને જીવની કહેવાણી છે એમ નથી આટલું બતાવવું છે. પરંતુ નિશ્ચય નયથી અશુદ્ધ પરિણામ વખતે અને અશુદ્ધતાના કાળમાં દ્રવ્ય તેમાં તન્મય થઈ ગયું છે એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com