________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૭૩ ધ્રુવ પ્રભુ છે, જાણનસ્વભાવનો કંદ પ્રભુ છે, જાણો સ્વભાવનો વજબિંબ છે. અર્થાત્ તે તો જ્ઞાયકમાત્ર પ્રભુ છે કે જેની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. તે જ્ઞાયકની દષ્ટિ કરતાં જ સમ્યગ્દર્શન થાય છે. કારણ કે તે જ સમ્યક નામ સત્ય દર્શન છે. એ જ્ઞાયક ત્રિકાળ સત્ છે. માટે તેનું દર્શન કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ ?
અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પહેલાં સાધારણ વાત કરી હતી પછી દ્રવ્યને જ્ઞાયકભાવ તરીકે બતાવીને એ વસ્તુ જ્ઞાયકભાવમય દ્રવ્ય છે તેમ કહ્યું, અને હવે કહે છે કે તેની પર્યાય અવસ્થા પુદ્ગલ કર્મે કરી છે એમ નથી, હા પુદ્ગલ કર્મ નિમિત્ત છે પણ તેનાથી કાર્ય થયું છે એમ નથી. એમ કહેવાય કે તે અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી થઈ. પરંતુ સ્વભાવથી નથી થયું તેથી તે નિમિત્તથી થયું છે એમ કહેવામાં આવે છે. જે કાંઈ પુણ્ય ને પાપના મલિન ભાવ દેખાય છે એ તો પર્યાય છે. જ્યારે દ્રવ્ય કે જે જ્ઞાયક છે તે કાંઈ આ મલિન પર્યાયમાં આવ્યું નથી. તેવી રીતે જે મલિન પર્યાય છે તે જ્ઞાયક ભાવમાં ગઈ નથી. અર્થાત્ પર્યાયનું હોવાપણું પર્યાયમાં રહ્યું છે.
અને જ્ઞાયકપણાનું હોવાપણું જ્ઞાયકપણાને પોતાને લઈને જ્ઞાયકપણામાં રહ્યું છે, આમ બેય હોવાપણે તો છે. કાંઈ જેમ આકાશના ફૂલ નથી તેમ અશુદ્ધતા નથી જ એમ નથી. પરંતુ એ અશુદ્ધતા પર્યાયમાં છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com