________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
જ્ઞાયક ભાવ અનંતા સિદ્ધોને મેં સ્થાપ્યા છે. અહા ! અનંતા સિદ્ધોને શ્રોતાની જ્ઞાનનો પર્યાયમાં સ્થાપ્યા એમ મેં કહ્યું છે. પરંતુ તે શ્રોતા જ્યારે અનંતા સિદ્ધોને પોતાની જ્ઞાનની પર્યાયમાં સ્થાપે ત્યારે મેં સ્થાપ્યા એમ કહેવાય છે. અહા ! જે મેં કહ્યું તે શ્રોતાએ સાંભળ્યું. હવે સાંભળીને તેની એક સમયની અલ્પજ્ઞ અવસ્થામાં-પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપે એટલે કે રાગથી પૃથક થઈને જ્ઞાનની પર્યાયમાં જે અનંત સિદ્ધોને સ્થાને તેનું લક્ષ-દ્રવ્ય-તરફ જ જાય. અહા! જેમ અરહંતના દ્રવ્ય ગુણ પર્યાયના જાણનારો પોતાને જાણે છે એમ કહ્યું (પ્રવચનસાર ગા. ૮૦) તેમ અનંતા સિદ્ધોને જેણે પર્યાયમાં સ્થાપ્યા તેણે અનંતા સિદ્ધોને પર્યાયમાં જાણ્યા-એક સમયની જ્ઞાનની પર્યાયે અનંતા સિદ્ધોને જાણ્યા. પણ એ તો જેમ એક અરહંતને જાણ્યા કહો એક જ છે તેમ અનંત સિદ્ધોને જાણ્યા કહો કે એક સિદ્ધને જાણ્યા કહો-બધું એક જ છે.
તો, એ જે અનંતા સિદ્ધ છે, અનંત જે સર્વજ્ઞો છે તેમને મેં મારામાં સ્થાપ્યા. આ, તો મારી વાત થઈ. હવે મેં તે અનંતા સિદ્ધોને પરમાં (શ્રોતામાં) સ્થાપ્યા. પરંતુ એ શ્રોતા જ્યારે પોતાનામાં અનંતા સિદ્ધોને સ્થાપે ત્યારે મેં પરમાં સ્થાપ્યા એમ વ્યવારે કહેવામાં આવે છે. તો, શ્રોતા તેની અલ્પજ્ઞ દશામાં અનંત સર્વજ્ઞોને વંહિતુ–વંદે છે. એટલે કે સ્થાપે છે. અને જે પર્યાય એ અનંત સિદ્ધોને સ્થાપે છે અને જાણે છે તે પર્યાય વિવેક કરીને દ્રવ્ય તરફ ઢળ્યા વિના રહે નહીં. આવી ઘણી ગંભીર વાતુ છે. જેમ જેમ ઊંડું જાય છે તેમ ગાથાઓનાં તળિયાં ઊંડાં બહુ
અહા! એવા જ શ્રોતાઓ છે કે જેણે પોતે પોતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com