________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૪પ અહા! પહેલી ગાથામાં આચાર્ય એમ કહ્યું હતું ને કે “મારા અને પરના મોહના નાશ માટે હું પરિભાષણ કરું છું” મારો અને પરનો મોહ હણવા માટે આ કહીશ. આવું શ્રી અમૃતચંદ્રાચાર્ય એમાંથી (વોચ્છામિ માંથી) કાઢયું. અને પોતે પણ ત્રીજા શ્લોકમાં કહ્યું ને કે હું આ ટીકા કરું છું તેનાથી મારી શુદ્ધતા થજો. કેમ કે અનાદિની મને અશુદ્ધતા છે. હું મુનિ આચાર્ય છું તો પણ હુજુ અનાદિનો અશુદ્ધતાનો અંશ છે. તો આ ટીકાના કાળમાં જો કે પાઠ તો એવો છે કે “ટીકાથી જ....' પણ તેનો અર્થ એ છે કે ટીકાના કાળમાં મારું લક્ષ-જોર-દ્રવ્ય ઉપર છે તેથી તેના જોરે અશુદ્ધતા ટળજો. તેમ આચાર્ય પોતે પહેલી ગાથામાં કહે છે કે હું જે આ સમયસાર કહીશ તે મારી ભાવને દ્રવ્યસ્તુતિથી (સિદ્ધને સ્થાપીને) કહીશ. તથા ભાવવચન અને દ્રવ્યવચનથી કહીશ. અહા! શ્રોતામાં દ્રવ્યવચન અને દ્રવ્યસ્તુતિ નથી કીધી. (પણ પોતાનામાં કહી છે.) જ્યારે શ્રોતામાં તો અનંત સિદ્ધોને સ્થાપ્યાં છે. એ સ્થાપ્યા છે એટલે કે જે શ્રોતા પોતાનામાં અનંત સિદ્ધો સ્થાપે છે તેને “સ્થાપ્યા છે” એમ કહેવામાં આવે છે.
અહા ! ત્યાં તો એમ કહ્યું કે “વંવિતું સત્વસિન્ડે'—સર્વ સિદ્ધોને મેં મારી પર્યાયમાં સ્થાપ્યા છે. અને તેનું નામ વંતિ
_સિદ્ધે છે. સાધ્ય જે આત્મા છે તેના પ્રતિછંદને સ્થાને સિદ્ધ છે. માટે એ સિદ્ધને હું નમસ્કાર કરું છું. એટલે કે સિદ્ધને મારી જે પર્યાયમાં સ્થાપે છે તે મારી પર્યાય પોતે સિદ્ધપણાને પામશે જ અને સિદ્ધ એવા મારા સ્વરૂપ તરફ તે પર્યાય જશે જ. માટે મેં સિદ્ધને વંદન કર્યું છે. માટે મેં મારી પર્યાયમાં સિદ્ધને સ્થાપ્યા છે. અને શ્રોતાઓની જ્ઞાનની પર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com