________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૪૭ પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતાથી સ્થાપ્યા છે તેને મેં તેમનામાં સ્થાપ્યા છે એ તો નિમિત્તથી છે. પણ જેણે પોતે પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતાથી સ્થાપ્યા છે એવા શ્રોતાઓને પોતાનું જે સ્વરૂપ છે તેની દષ્ટિ થાય છે અને તે શ્રુતકેવળી થાય છે અર્થાત્ આ સમયસાર શ્રુતકેવળી અને કેવળીએ કહેલું છે માટે તે જીવ પણ શ્રુતકેવળી થાય જ. શ્રુતકેવળી એટલે સમકિતી. અહા ! જેણે અનંતા સિદ્ધોને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સ્થાપ્યા છે. અરે બાપુ! એ કંઈ વાત છે! જેની એક સમયની અલ્પજ્ઞ પર્યાય (ભલે ઉપયોગ અસંખ્ય સમયે થાય) અનંતા સિદ્ધોનું જ્ઞાન કરે અને પર્યાયમાં (પોતાનામાં) તેઓને સ્થાપે એટલે કે રાખે અર્થાત્ પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધો રહે એવું જેણે પોતે કર્યું છે એવાને અહીં શ્રોતા તરીકે લીધા છે. કેમ કે બાકી તો આમ અનંતવાર ભગવાન પાસે સાંભળ્યું છે. માટે એ વાત અહીં છે નહીં.
અહા! આમ ભગવાન પાસે તો અનંત વાર સાંભળ્યું છે. પરંતુ હવે જે શ્રોતા, પોતાની એક સમયની અલ્પજ્ઞ અવસ્થા હોવા છતાં, અનંતા સર્વજ્ઞો-સિદ્ધોને સ્થાપું છું, રાખું છું તો તેનું લક્ષ અને તેની દષ્ટિ દ્રવ્ય ઉપર જ જશે. અને હવે તેના લક્ષ સાંભળશે તો સાંભળતાં તેની અશુદ્ધતા ટળી જશે. એ દ્રવ્યના લક્ષને કારણે અશુદ્ધતા ટળશે હો. પણ સાંભળવાને કારણે નહીં. સમજાણું કાંઈ?
પહેલી ગાથામાં લખ્યું છે કે મારો મોહ અનાદિનો છે. જ્યારે ત્રીજા શ્લોકમાં એમ લખ્યું છે કે અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે, (“નિરંતર કલ્માષિત છે”) અહા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com