________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
જ્ઞાયક ભાવ દ્રવ્ય શુદ્ધ છે” એમ જણાયું છે. માટે દ્રવ્યને શુદ્ધ કહ્યું, પણ હવે આ બાજુમાં જતાં (પર્યાયની અપેક્ષાએ જોતાં) તેને રાગાદિ હજી જણાય છે. કેમ કે રાગ બાકી છે. તો તે રાગ જણાય છે. માટે, તે રાગનો જાણનાર છે એવું જ્ઞાન છે ને! ના, કેમ કે રાગ આકારે થયેલું જે રાગ સંબંધીનું જ્ઞાન છે તે પોતાના આકારે થયું છે. તેમ જ તે જ્ઞાન રોગને કારણે થયું નથી. પણ તેના સ્વપરપ્રકાશક સ્વભાવના કારણે એ પરપ્રકાશપણે જ્ઞાન થયું છે. સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ ! શું કહીએ!
અહીં તો કહે છે કે સમકિતીને-જ્ઞાનીને-આત્માનું જ્ઞાન થયું છે, આત્મા ત્રિકાળ શુદ્ધ છે એવું પર્યાયમાં જ્ઞાન થયું છે અને તેથી તેને શુદ્ધ કહેવામાં આવે છે. હવે તેની પર્યાયમાં રાગ થાય છે અને તેની પર્યાયમાં આ શરીર, મકાન આદિ જણાય પણ છે. તો તે જેવું ય છે તે આકારે અહીં જ્ઞાન થાય છે માટે તે જ્ઞાનની પર્યાય શેયને કારણે છે એટલી પરાધીનતા છે ને! ના, કેમ કે એ શેયકૃત જ્ઞાન થયું નથી. પરંતુ એ જ્ઞાનનો પોતાનો પરપ્રકાશનો સ્વભાવ જ તે પ્રકારનો છે અને તે રૂપે જ્ઞાન થયું છે. ગહન વિષય છે બાપુ! અરેરે ! સત્ય હાથમાં નહીં આવે ત્યાં સુધી બિચારા અજ્ઞાની મરી જવાના છે. એ ૮૪ના અવતારમાં રખડી-રખડીને સૌથી નીકળી ગયા છે બાપુ! પ્રભુ તો એમ કહે છે કે તારા નરકનાં એક ક્ષણના દુઃખો પ્રભુ! કોડો ભવે અને ક્રોડ જીવથી પણ ન કહી શકાય. એવું તે એક ક્ષણનું દુઃખ તે વેઠયું છે. અને એવો ૩૩ સાગરને એમ અનંતકાળ તે દુઃખ વેઠ્યું છે ભાઈ ! એ બધું મિથ્યાત્વને લઈને છે બાપુ!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com