________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
જ્ઞાયક ભાવ
૩૯
જેવો રાગ તેવું તેને જ્ઞાન પણ થાય છે. પણ તેથી રાગને આકારે તે જ્ઞાનાકાર થયું છે માટે જ્ઞાન પરાધીન છે એમ નથી. કેમ કે એ જ્ઞાનાકાર રાગના જ્ઞાનપણે થયેલા જ્ઞાનાકાર-જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે. પરંતુ તે શૈય-રાગને લઈને પરિણમ્યું નથી. અરે ! પણ કોને આ પડી છે! આખી દુનિયા બાવીસ કે ત્રેવીસ કલાક સ્ત્રી, પુત્ર ને ધંધાના પાપમાં એકલા પાપમાં ગાળે છે. કદાચ કલાક વખત મળે તો સાંભળવા જાય. પરંતુ ત્યાં બધુ ઊંધું મળે કે તમને આમ ધર્મ થશે ને આનાથી ધર્મ થશે. અને તેનો કલાક પણ લૂંટી લે. અરેરે! જિંદગી ચાલી જાય છે.
અહીં પ૨માત્માનો પોકાર છે કે પ્રભુ! તે તારા સ્વભાવનો સ્વીકાર કરીને શુદ્ધતા જાણી. હવે એ શુદ્ધતા જે પર્યાયમાં આવી થઈ ને જ્ઞાન પર્યાયમાં હજુ રાગાદિ પણ થાય છે. એટલે કે તે રાગનું જ્ઞાન અહીં પર્યાયમાં થાય છે. પરંતુ તેથી જેવો રાગ છે તેવું જ અહીં જ્ઞાન થાય છે માટે−જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં થઈ છે એમ નથી. જ્ઞાન જ્ઞેયાકારે થયું માટે શેયકૃત અશુદ્ધતા તેને છે એમ નથી. પણ એ જ્ઞાનનો સ્વભાવ જ એ પ્રકારે થયો છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું છે એવી તેની સ્વાધીનતા છે. વીતરાગનો માર્ગ ઝીણો છે બાપુ! અરે! અત્યારે તો તે કયાંય મળતો પણ નથી. ભાઈ! શું કરીએ ? વીતરાગ માર્ગ સાંભળવા પણ મળતો નથી.
અહા ! અહીં શું કહે છે? કે સમ્યગ્દષ્ટિને પોતાની પર્યાયમાં દ્રવ્ય ‘ત્રિકાળ શુદ્ધ’ છે એમ જણાણું છે તેથી તેને (દ્રવ્યને ) શુદ્ધ કહ્યું. જ્ઞાનીને જે શુદ્ધ પર્યાય પ્રગટી છે તેમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com