________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
જ્ઞાયક ભાવ જણાવાયોગ્ય પદાર્થનો આકાર અહીંયાં આવવાથી તે જાણે જ્ઞયકૃત આકાર છે એમ તેને થાય છે. પરંતુ એમ નથી. એ તો જ્ઞાનનો પોતાનો જ આકાર એ રીતે પરિણમ્યો છે. ફરીને કેમ કે આ કાંઈ એકદમ સમજાય એવું નથી. તો કહે છે કે જેમ બળવાયોગ્યને આકારે અગ્નિ થાય છે તેથી બળવાયોગ્ય પદાર્થની અશુદ્ધતા એટલી પરાધીનતા છે એમ નથી. પરંતુ અગ્નિ પોતે જ એ આકારે થયો છે. એવી રીતે શેયાકાર જ્ઞાનમાં શરીર, વાણી, મન, મકાન, પૈસાનો આકાર દેખાય છે તેથી તેને આકારે અહીં જ્ઞાન થયું માટે તે જ્ઞયાકારની અપેક્ષાથી જ્ઞાન થયું છે એવી જ્ઞાનમાં અપેક્ષા નથી, એવી પરાધીનતા જ્ઞાનની પર્યાયમાં નથી. પરંતુ તે સ્વયં પોતે જ્ઞાન તે રીતે તે આકારે થયું છે. અર્થાત્ પરને જાણવા કાળે પરની જેવી ચીજ છે તેવા આકારે જ્ઞાન થાય છે. છતાં પણ એ જ્ઞાન જે જણાવાલાયક છે તેને કારણે થયું છે એમ નથી. પરંતુ તે જ્ઞાન જ પોતે પોતાથી સ્વતંત્ર તે આકારે પરિણમ્યું છે.
અહા ! જ્ઞયાકાર થવાથી એટલે કે શું તે હવે જરી સૂક્ષ્મ લઈએ તો, સમકિતીને-જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગના જેવું અહીં જ્ઞયાકાર થાય છે. અર્થાત્ સમકિતીને જ્ઞાનીને પણ રાગ થાય છે. તો જેવો રાગ છે તેવી અહીં જ્ઞાનની પર્યાય થાય છે પરંતુ એથી કરીને તે જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે એમ નથી. પણ એ જ્ઞાનની પર્યાય જ તે આકારે પ્રણમી છે. એવા આકારે સ્વતંત્રપણે પોતાથી થઈ છે. અહા ! ધર્મી જીવને જેને આત્મજ્ઞાન થયું છે તેને હજી રાગ આવે છે. અને રાગ આકારે તેનું જ્ઞાન પણ થાય છે. પર્યાયમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com