________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૩૭ એટલે કે છાણું, લાકડું કોલસા વગેરેને આકારે અગ્નિ થવાથી દહન–બાળનાર કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. બળવાયોગ્ય પદાર્થના જેવો આકાર અગ્નિમાં થયો છે માટે તે દાહ્યની અપેક્ષાથી ત્યાં (અગ્નિમાં) તેવો આકાર થયો છે એવી અશુદ્ધતા પરાધીનતા અગ્નિને નથી. એ જે અગ્નિને આકાર થયો છે તે પોતાથી થયો છે, એવા આકારે અગ્નિ પોતાથી થયો છે. એ છાણું, લાકડું ને કોલસો એવા આકારે અગ્નિ થયો છે માટે તે બળવાયોગ્ય પદાર્થના કારણે તેવા આકારે અગ્નિ થયો છે એવી બળવાયોગ્યની પરની પરાધીનતા અગ્નિને છે નહીં.
બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને બાળનાર કહેવાય છે. તો, “બાળનાર” છે એટલે એવો અવાજ આવ્યો કે જે બળવાયોગ્ય છે તેને તે બાળે છે. એટલે કે તેને આકારે તે થયો છે, પણ એમ નથી. તે વખતે પણ અગ્નિ પોતાને આકારે થયેલ છે. અર્થાત્ બળવાયોગ્ય પદાર્થને આકારે જે અગ્નિ થયો છે તે અગ્નિ (ખરેખર તો) પોતાને આકારે સ્વયં પોતાથી થયો છે. સમજાણું કાંઈ ? અહા! હજી આ તો દાંત છે. સિદ્ધાંત તો પછી અંદર ઊતરશે.
તો, કહે છે કે “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી.” બળવાયોગ્ય પદાર્થના આકારે થયેલ હોવા છતાં અગ્નિને અશુદ્ધતા નથી. એટલે કે અગ્નિને એ અશુદ્ધતા (આકાર) દાહ્યને લઈને નથી. પરંતુ એ તો અગ્નિ પોતાના આકારે થયેલ છે, એ આકાર એ અગ્નિનો આકાર છે. પણ એ બળવાયોગ્ય પદાર્થનો તે આકાર નથી.
તેવી રીતે શેયાકાર થવાથી જ્ઞાનસ્વરૂપી પ્રભુ શેય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com