________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૪૧ તો સમ્યગ્દર્શન વિના એ ૮૪ના અવતારમાં રખડીને મરી જઈશ બાપા ! સમ્યગ્દર્શન વિના તેનો કયાંય અંત નહિ આવે ભાઈ ! આવું સમ્યગ્દર્શન છે!
અહા ! જેણે ત્રિકાળ શુદ્ધ આત્માને પકડ્યો અને જેને જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતા તથા આનંદનો સ્વાદ આવ્યો તેમ જ જેને સ્વપ્રકાશક જ્ઞાનની પર્યાય થઈ પણ હજુ પૂર્ણ કેવળજ્ઞાન નથી તેથી તેને પણ રાગ આવે છે. અને એ રાગનું તેને જ્ઞાન પણ થાય છે. જેવો રાગ હોય તેવું-મંદ રાગ હોય તો મંદ રાગનું અને તીવ્ર રાગ હોય તો તીવ્ર રાગનું જ્ઞાન થાય છે. તો એ રાગ આકારે થયેલું જ્ઞાન, રાગકૃત છે કે પોતાથી જ્ઞાનકૃત છે? જ્ઞાનનો પોતાનો આકાર તે પ્રકારે થવાને કારણે તે જ્ઞાન થયું છે. અહીં ! હવે આવું બધું વાણિયાને ધંધા આડ કયાં સૂઝે? અને વાણિયાને જૈનધર્મ મળ્યો? મારગ ઝીણો છે ભાઈ! અહા ! હવે આવું બધું વાણિયાને ધંધા આડે કયાં સૂઝે? અને વાણિયાને જૈનધર્મ મળ્યો? મારગ ઝીણો છે ભાઈ ! અહા ! ગજબ વાત કરે છે ને!
અહા ! તેને કહે છે કે પ્રભુ! તને આત્માનું જ્ઞાન થયું, શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન થયું, તે શુદ્ધ છે એમ પર્યાયમાં ભાસ્યું, છતાં પણ તે પર્યાયમાં હજી રાગ થાય છે અને તે રાગનું જ્ઞાન પણ થાય છે. તેમ જ તેમાં પરનું-શરીરનું, સ્ત્રીનું કુટુંબનું જ્ઞાન થાય છે. તેઓ જેવા ભાવે ભાવે છે તે રીતે જ્ઞાન થાય છે તો તે જ્ઞય છે તેની અપેક્ષાથી તેવું જ્ઞાન થયું છે? કે એ જ્ઞાનનો પર પ્રકાશનો
સ્વતઃ સ્વભાવ હોવાથી પરની અપેક્ષા વિના થયું છે? પોતે (જ્ઞાન) જ્ઞાનકૃત હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com