________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયકભાવ
૨૧ (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે “એકરૂપ હોવા છતાં જો પર્યાયને જાણે તો પર્યાયમાં એકરૂપ છે, પર્યાયની સાથે કર્મપુદ્ગલો દેખાય છે. છતાં પણ ‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો...' વસ્તુનો જે કાયમી અસલી સ્વભાવ છે તેની અપેક્ષાથી જોવામાં આવે તો અનાદિ, અનંત, નિત્યઉધોતરૂપ ને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ એવો જે દ્રવ્યસ્વભાવ છે તેની અપેક્ષાથી જોવામાં આવે તો-“દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા..' કષાયના ચક્રનો અંત લાવવો તે મહા-અનંતો પુરુષાર્થ છે. દુરંત-દુર:+અંત= જેનો મહા પુરુષાર્થથી અંત આવે છે એવું તે કષાયચક્ર છે. માટે તેને દુરંત કષાયચક્ર કહ્યું.
કષાયસમૂહના અપાર ઉદયોની” એમ લીધું છે. કેમ કે કષાયચક્ર કહ્યું છે ને! તો, કહે છે કે “કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર” કર્મના નિમિત્તના સંબંધમાં જોડાતા તેની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે કાંઈ પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો... પુણ્ય-પાપ એ નવા પરમાણુનું બંધન થાય તેની-કર્મની-વાત છે. અને તેને ઉત્પન્ન કરનારા એ શુભાશુભભાવના સ્વભાવે પરિણમતો નથી.'
શું કીધું?
કે દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો.... એકરૂપ નથી પણ અનેકરૂપ છે. તો, શુભભાવ પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com