________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
જ્ઞાયક ભાવ
અહા! વસ્તુ તો આવી જ અનાદિ શુદ્ધ સત્તારૂપે છે. પણ હવે અવસ્થાની વાત કરે છે કે ‘તે સંસારની અવસ્થામાં' અર્થાત્ જ્ઞાયકભાવ તો અનાદિ, અનંત નિત્ય છે. તેમ જ તે વર્તમાનમાં એટલે કે પર્યાયમાં સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિરૂપ ચીજ છે. પણ તેની અવસ્થામાં જ અનાદિની ભૂલ છે તેની હવે વાત કરે છે;
‘તે સંસારની અવસ્થામાં ' દશામાં ‘અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી ' કથનથી ‘ ( અપેક્ષાથી ) ' બંધ અવસ્થાની અપેક્ષાથી જોઈએ તો ‘ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં' ક્ષીર–દૂધ ને નીર-પાણી જેમ દૂધ ને પાણી એકરૂપ દેખાય છે છતાં દૂધ, દૂધરૂપે છે ને પાણી, પાણીરૂપે છે. એટલે કે પાણીને દૂધ ભિન્ન ભિન્ન છે. આમ ‘ક્ષીરનીરની જેમ કર્મપુદ્દગલો સાથે એકરૂપ હોવા છતાં..... દૂધ સમાન આત્મા ભિન્ન છે ને પાણી સમાન કર્મપુદ્દગલો ભિન્ન છે. અહા! પાણીના પાણીને દૂધના દૂધ એમ નથી કહેતા ? અર્થાત્ પાણી પાણીરૂપે છે ને દૂધ દૂધરૂપે છે-દૂધ ને પાણી ભિન્ન છે તેમ ભગવાન આત્મા ને કર્મપુદ્ગલો ભિન્ન છે. તો, કહે છે કે ‘કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં' છે તો આત્મા ને કર્મપુદ્ગલો એકરૂપ અર્થાત્ સાથે, છતાં પણ ‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો ભિન્ન છે. એટલે કે અનાદિ બંધ પર્યાયના સંબંધથી જોવામાં આવે તો આત્મા ને કર્મ એક દેખાય છે. પરંતુ વસ્તુના સ્વભાવથી જોવામાં આવે તો ભિન્ન છે એમ કહે છે.
ઉપ૨ કહ્યું તે સમજાણું ?
કે ‘સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com