________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૧૯ વસ્તુ છે. અહા ! ભાષા તો સાદી છે, પણ ભાવ તો ભાઈ ! આકરો છે!
આગળ કહે છે કે “નિત્યઉદ્યોતરૂપ હોવાથી” વર્તમાનમાં કાયમ રહેનારો હોવાથી “ક્ષણિક નથી.' કોઈ ચીજ છે (હોય) અને તે પાછી ક્ષણિક હોય એમ હોતું નથી. માટે એ તો નિત્યઉધોતરૂપ છે. કાયમ એમ ને એમ છે. એટલે કે વર્તમાનમાં પણ કાયમ એવી ને એવી ધ્રુવ છે. અહા! અનાદિ અનંત સત્તાસ્વરૂપ વસ્તુ કાયમ ઉધોતરૂપ છે. અર્થાત્ તે વર્તમાનમાં પણ કાયમ ઉધોતરૂપ છે.
અહા! આત્મા ભૂતકાળમાં ઉત્પન્ન થયો નથી. ભવિષ્યમાં તેનો અંત નથી અને વર્તમાનમાં તે ઉધોતરૂપ પ્રગટ છે-આમ રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવી શુદ્ધ વસ્તુ-ચીજ વર્તમાનમાં પ્રગટરૂપ હોવાથી “ક્ષણિક નથી.' તે વસ્તુ ક્ષણિક નથી. પરંતુ એ તો ધ્રુવ છે. અહા ! એક એક શબ્દ ને એક એક પદ જો બરાબર સમજે તો ઘણા બધા ન્યાય આવી જાય.
તો કહે છે કે “અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક' તે જ્ઞાયક કેવો છે? જ્ઞાયક એ તો વળી જ્ઞાયક કેવો છે?
સ્પષ્ટ છે. સ્પષ્ટ પ્રગટ, પ્રત્યક્ષ એ તો પ્રત્યક્ષ પ્રકાશમાન છે. વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય એવી એ જ્યોતિ છે. અહા !
સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ' કહેતાં એ જે ચૈતન્ય જ્યોતિ છે તે ચૈતન્ય જ્યોતિ ચેતન... ચેતન... ચેતન. એમ પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. તો, “એવો જે જ્ઞાયક, એક ભાવ છે” જોયું? એવો જ્ઞાયક એક ભાવ છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com