________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
જ્ઞાયક ભાવ અનેકરૂપ છે-તેના અસંખ્ય પ્રકાર છે અને અશુભભાવ પણ અનેકરૂપ છે, તેના અસંખ્ય પ્રકાર છે. અને તે રૂપે દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો આત્મા પરિણમતો નથી.
અહી પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભઅશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. દ્રવ્યસ્વભાવથી એટલે વસ્તુસ્વભાવથી જોઈએ તો, પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા તો શુભાશુભભાવ છે. અને તે ભાવરૂપે વિશુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા થયો જ નથી. શુભાશુભભાવરૂપે દ્રવ્ય સ્વભાવ કદી થયો જ નથી. કેમ કે એ તો જ્ઞાયકસ્વરૂપ છે. જ્યારે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા શુભાશુભભાવો છે તે તો અચેતન છે. તેમાં ચૈતન્યના સ્વભાવનો અંશ નથી. આત્મા તેમના સ્વભાવે થતો નથી. જયચંદજી પંડિત ખુલાસો કરે છે ( જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી.) ભાષા જુઓ! કે આત્મા શુભાશુભભાવરૂપે થાય તો જડ થઈ જાય. કેમ કે શુભાશુભભાવ તો અચેતન, અજીવ છે. જીવ જ્ઞાયક તે શુભાશુભરૂપે કે જે અજીવ-જડ છે તે રૂપે-કેમ થાય? અહા! દ્રવ્યસ્વભાવથી જોઈએ તો અંત લાવવો મુશ્કેલ છે એવી કષાયની વિચિત્રતાના વશે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના કારણરૂપ એવા શુભાશુભભાવરૂપ આત્મા થયો નથી. આવું છે!
અહા! શ્રી કુંદકુંદાચાર્યે ‘વોચ્છામિ સમયપાદુહું'– હું (સમયસાર) કહીશ-એમ કહ્યું છે ને! તો હું કહીશ” નો અર્થ એ થયો કે કોઈ સાંભળનારા છે તેને કહે છે, તારો નાથ-અંદર જે ચૈતન્યસ્વરૂપ સ્વ જ્ઞાયકભાવ પડયો છે તે-શુભ ને અશુભભાવરૂપે થયો નથી. અહા ! કર્મના ચક્રનો અંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com