SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન આત્માને જાણે તે જ્ઞાની થાય. શાસ્ત્રને જાણે તો જ્ઞાની એમ છે નહીં ? પરને જાણે તો જ્ઞાની એમ છે નહીં ? જો એમ કહેશો તો અગિયાર અંગનો પાઠી પણ કોરો રહી ગયો. ભણેલાને સમ્યગ્દર્શન થાય, અભણને સમ્યગ્દર્શન થાય નહીં તો તો એમ થઈ જાય. આહા ! ભણેલ હોય કે અભણ જાણનાર જણાય છે એમાં આવીજાને ! તને જણાઈ રહ્યો છે. સમ્યગ્દર્શન અત્યંત રહેલું છે. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ચારિત્ર પ્રગટ થાય છે. ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું કારણ ભેદવિજ્ઞાન છે, ભેદજ્ઞાન વિનાશિક હોવા છતાં ઉપાદેય છે. આ ભેદજ્ઞાનની ગાથા ચાલે છે. સ્વભાવનું સામર્થ્ય તને નજરમાં આવ્યું નથી. અને દરિદ્રપણું તને નજરમાં આવ્યું છે. શાસ્ત્રનું ગમે તેટલું જાણપણું કરવાથી પણ આત્માનું સુખ નહીં થાય આત્મા કોણ છે તે જાણવાથી તને સુખથશે. કારણકે તેમાં સુખ છે. પરમાં સુખ નથી; તેથી પરને જાણવાથી દુઃખ થશે. રાગથી તો દુઃખ થશે, પણ પરને જાણવાથી દુઃખ થશે. કેમકે પરપ્રકાશક જ્ઞાન ક્યારે સાચું કહેવાય? કે સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટે ત્યારે. સ્વપ્રકાશક વિનાના એકલા પર પ્રકાશકથી દુઃખ થશે. રાગ તો બંધનું કારણ છે. પણ ધર્મી પર પ્રકાશક જ્ઞાનને પણ મોક્ષમાર્ગ માનતા નથી. (દ્રવ્ય દષ્ટિ જિ.-પર્યાય દ. વિ. બોલ નં ૬૮૭) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy