________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પ્રોપર્ટી કોની હશે? અરે! ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા ભિન્ન છે. જોઈ લે ને? અરે ! તને જણાશે. જણાઈ રહ્યો છે તને. એકલું ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. પણ એનું લક્ષણ ઉપયોગ પણ સાથે પ્રગટ થાય છે. અને એ ઉપયોગમાં બાળ-ગોપાળ સૌ ને એમાં તું આવી ગયો. તને (આત્મા) જણાય છે એમ! બીજા ને જણાય છે એમ ન લેવું “મને જણાય છે” ક્યારે જણાતો હશે? સ્વાધ્યાય મંદિરમાં આવે ત્યારે (જણાય) દુકાને આવે ત્યારે ન જણાય એમ હશે? ચોવીસે કલાક.
આહાહા! ગુરુદેવ તો બધું જ આપી ગયા છે. પણ એમાં એનું ધ્યાન ખેંચાતું નથી એમાં શ્રીગુરુ શું કરે? આહાહા! જ્ઞાની કોઈ વાત છુપાવે નહીં. અરે! ઊંચા ન્યાયો આવતા હોય, અને કોઈ પાસે ઉભા હોય તો ફટ બોલાવી–બેસાડીને કહી દીએ. “સાંભળ” મને આ વિચાર આવ્યો છે. એ (સાધક) ન કહે ત્યાં સુધી એને પેટમાં દુઃખે ચેન ન પડે. ઈ.કહીજ દયે. હું (આને) કહીશ તો મારા શિષ્યો મારાથી આગળ વધી જશે, એવું જ્ઞાનીને ન હોય. એ-ન્યાયો છુપાવતા હોય તો જ્ઞાની નથી. આહાહા...! આ છુપાવવાની વાત નથી. આતો પ્રસિદ્ધ કરવાની વાત છે.
ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી. દાંડી પીટીને નામજ એવું મૂકયું કે ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી. અપૂર્વ ચીજ છે આ. ભેદજ્ઞાનની પરાકાષ્ઠા છે આ. જીવ છેતરાણો છે (અનાદિથી) ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનીને ! (પણ) છે શેય' ભિન્ન રૂપ શેય છે, હેયરૂપ શેય છે, આશ્રય કરવા માટે તો ઉપાદેય નથી, પણ પ્રગટ કરવા માટે પણ ઉપાદેય નથી. એવી અલૌકિક વાત આ દશગાથામાં છે. એની જીભેથી પ્રશંસા થાય એવું નથી. આહા...! હા..!
એની કેટલી પ્રશંસા કરવી?
જેવી રીતે હિન્દુસ્તાનમાં ખળભળાટ થયો, ગુરુદેવનો ઉદય થયો ત્યારે સમયસાર! સમયસાર! સમયસાર! ચારે બાજુ...(વાંચવા લાગ્યા) વર્તમાનના જે વિદ્વાનો હતા એ કાંઈ સમયસાર વાંચતા નહોતા. એમાં આ સની ચિનગારી સોનગઢથી બહાર આવી. સમયસાર! સમયસાર! સમયસાર (મુમુક્ષુ ) પંડિતોને પૂછવા લાગ્યા પ્રશ્નો; કેઃ પંડિતજી સમયસારમાં આ ગાથાનો અર્થ શો ? (પંડિતો) તે કહે: અમે તો વાચ્યું જ નથી. હવે (લોકો ) આ બધા પ્રશ્ન પૂછવા માંડયા છે તેથી અમારે વાંચવું તો પડશે જ. અને જવાબ આપવા માટે (સમયસારનું ) વાંચન શરૂ કર્યુ, વિદ્વાનોએ. વિદ્વાનો મોટી ડીગ્રીવાળા! કોઈ શાસ્ત્રી અને કોઈ આચાર્ય !! એની વાત ચાલે છે. સાધારણ વ્યક્તિની આ વાત નથી પછી કૈલાસચંદજી પંડિત લખે છે કે: આ ગુરુદેવનો ઉપકાર. એનો ઉદય થયો એટલે સમયસારનો (ઉદય થયો.) અને અમારે એ વાંચવાની ફરજ પડી. અલૌકિક ભેદજ્ઞાનનું શાસ્ત્ર છે. પછી બહુ પ્રશંસા કરતા હતા.
એવી રીતે ઇન્દ્રિયજ્ઞાન...જ્ઞાન નથી..એ પુસ્તકનો ફેલાવો થયા પછી..(મુમુક્ષુ કહે ) 1જી આ ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી સમજાવોને જરાક. વાચ્યું જ ન હોય તો કયાંથી સમજાવે ? આ (સની) ચિનગારી બહાર નીકળી ગઈ. (શ્રોતા હર્ષથી તાળીઓ પાડે છે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com