________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રે! પુદગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું ' ગણી, રોષ તોષ જીવો કરે. 373 પુદગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઇ પણ તને, હે અબુધ! રોષ તું કયમ કરે? 374 શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; 375 શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; 376 શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંઘ મૂજને' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાટગોચર ગંધને; 377 શુભ કે અશુભ રસ જેવું તે “તું ચાખ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; 379 શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; 380 શુભ કે અશુભ જે દ્રવ્ય તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર દ્રવ્યને. 381 -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામે નહિ એ પર ગ્રહણ કરવા ચહે. 382 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com