________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૧
પ્રવચન નં. – ૨૨ વ્યવહાર તો છે ને! વ્યવહાર તો છે ને! એ રહેવા દે બહુ! નિશ્ચયે આમ છે....
નિશ્ચય આમ છે એમ લે ને! પછી.નિશ્ચયનય છોડીને, નિશ્ચયનય છોડી દેવી સ્વભાવથી આમ છે, એમ લે ને! આત્મા નિશ્ચયનયે અકર્તા છે એ પહેલાં લે! પહેલાં લે, નિશ્ચયે અકર્તા છે લે ! વાંધો નહીં. થોડીક વાર....પછી “સ્વભાવથી અકર્તા છે!' એને નિશ્ચય નયની જરૂર નથી.
સ્વભાવ, નયથી સિદ્ધ નહીં થાય! નયથી અનુમાન થાય! પણ નયથી સ્વભાવ સિદ્ધ નહીં થાય! સ્વભાવ તો સ્વભાવથી સિદ્ધ છે ને સ્વભાવની સન્મુખ થાય તો સિદ્ધ થાય!
“વસ્તુસ્વભાવ પરને-આત્માનું જ્ઞાન રાગને જ્ઞય બનાવી શકતું નથી નથી. એ જ્ઞય થઈ શકતું નથી. આહા..હા ! એનું શેય તો ભગવાન આત્મા છે. રાગને જાણનારું જે જ્ઞાન છે એટલું યે શેય નથી. એટલું જ્ઞાને ય નથી ને એટલો જ્ઞાયક પણ નથી.
જ્યારે આત્માની સન્મુખ થયેલું જ્ઞાન, એ આત્મા જ જ્ઞાન છે ને આત્મા જ જ્ઞય છે ને આત્મા જ જ્ઞાન છે. ત્રણેય અભેદ અંદરમાં છે જ્ઞાતા, જ્ઞાન ને શેય ક્યાં ગોતવા ગયો શેય? અહીંયાં છે, અહીંયાં શેય સ્થાપશે તો ઉપયોગ અંદરમાં આવશે. ય વા (બહારમાં) સ્થાપ્યું છે એટલે ઉપયોગ બહારમાં જશે. આહા..હા!
આત્મા ખરેખર પરને જાણતો નથી. તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી ! જ્ઞાયક જ્ઞાયકને જાણે છે, એવા સ્વ-સ્વામી સંબંધના વ્યવહારથી પણ સાધ્યની સિદ્ધિ નથી. તો પરને જાણે એમાં સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય? (કદી ન થાય) રોકાઇ ગ્યો કર્તા બુદ્ધિમાં અને જ્ઞાતાબુદ્ધિમાં. રોકાઈ ગયો. વ્યવહારનો “પક્ષ” પ્રબળ છે. કોઇ વીરલા જ આ વ્યવહારના પક્ષને ” નિશ્ચયનય વડ, નિર્દય થઇને તું વ્યવહારનો નિષેધ કરજે એમ આચાર્ય ભગવાન કહે છે. નિર્દય હોં? આ...શું! આવો ‘નિર્દય શબ્દ દ્રવ્યશ્રુતમાં હશે !? છે. દયા રાખીશમાં ! આહાહા! નિશ્ચયનય વડે વ્યવહારનો નિષેધ કરજે. ફરમાન છે. જેમ અકબર રાજા (થયા) છે ને! એના ફરમાન નીકળતા 'તા. એમ આ સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે કે નિશ્ચયનય વડે વ્યવહારનો નિષેધ કરી નાખ. તો...નિશ્ચયનો “પક્ષ” આવશે હજી..પછી “પક્ષ” છૂટશે ત્યારે અનુભવ થશે. પક્ષમાં આવ્યો તેથી શું? નિશ્ચયના પક્ષમાં આવ્યો. કે પરને હું જાણતો નથી ને પરને હું કરતો ય નથી. હું તો અકારક છું અને મારું જ્ઞાન તો જ્ઞાયકને જાણે છે, એટલા પક્ષમાં” આવ્યો તેથી શું? એ પણ વિકલ્પ છે. નિર્વિકલ્પ અનુભૂતિ એમાં નથી. પણ એ જીવ આંહીયા આવે છે એટલે પક્ષીતિક્રાંત થઇને અનુભવ જરૂર થઇ જાય છે. આવી સ્થિતિ છે.
વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી આહા..! અશક્ય છે એમ કહ્યું ‘કરી શકતો નહિ હોવાથી એટલે અશક્ય છે. અસંભવિત વાત છે. આત્મા પરને જાણે એ અસંભવ છે. પરને જાણતો જ નથી. આ...કઠણ પડ છે પણ અમૃત જેવું છે, ભાઈ !
આહા! આ અનુભવથી સિદ્ધ થયેલી વાતો કહે છે. અને બીજાને પણ આવો અનુભવ થાય ત્યારે આવું થાય છે લે!! હવે એનાથી વધારે શું કહેવું તને?
“વસુસ્વભાવ પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી આત્મા જેમ, બાહ્યપદાર્થોની અસમીપતામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com