SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પરમાત્મ ને નમઃ શ્રી સમયસારાય નમઃ શ્રી નિજાત્મને નમઃ શ્રી સમયસા.ર ગાથા. ૩૭૩-૩૮૨ તા. ૨૪/૧૧/૯૬ – કલકત્તા. સવાર. પ્રવચન નં.-૨૨ આ શ્રીસમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનું મુખ્ય પ્રતિપાદન, શુદ્ધાત્માની મુખ્યતાથી આ શાસ્ત્ર લખવામાં આવ્યું છે. વસ્તુની પર્યાયનું અને કર્મને શરીરનું સંયોગનું જ્ઞાન કરાવતાં આવે છે, સાથે સાથે...પણ એનો પ્રતિપાદ્ય વિષય તો એકલો શુદ્ધાત્મા છે. પોતે જ એમ વ્યવસાય કર્યો છે કે હવે હું “એકત્વ-વિભક્ત આત્માની વાત કરીશ. આ પ્રકારનો મેં વિચાર કર્યો છે.' જે અનંતકાળથી પરની સાથે જીવ, શરીરની સાથે નોકર્મ ને બીજા બહારના પદાર્થની સાથે, રાગની સાથે, ઇન્દ્રિયજ્ઞાન સાથે એકપણાની માન્યતા–એ– બુદ્ધિ કરે છે, (છતાં પણ) એકત્ર થતું નથી. શરીર અને આત્મા કદી એકત્વ થાય નહીં, (અજ્ઞાનતામાં) એકપણાની માન્યતા કરે! એ તો એનું અજ્ઞાન છે. એ કાંઇ આગળ કરવા જેવી વાત નથી. ગાંડા માણસની-પાગલ માણસની વાત કંઇ આગળ કરવા જેવી નથી. ડાહ્યાની-અનુભવી પુરુષોની વાત આગળ કરીને અપનાવવા જેવી છે. એટલે “એકત્વ-વિભક્ત આત્માની વાત કરીશ હું, એકત્વ એટલે આત્માનો અનાદિ-અનંત, અનંતગુણથી એકપણું રહેલું છે, ભલે ગુણો અનંત છે, અંદરમાં અત-રૂપે છે એક ગુણ બીજા ગુણ રૂપે નથી, પણ એકપણે-એકરસરૂપે રહેલા છે બધા, ગુણો એવા અનંતગુણો એકપણું એને “એકત્વ' કહેવામાં આવે છે. વિભક્તનો અર્થ એ છે કે અનંતગુણની અનંતપર્યાય સમયે સમયે થાય છે પણ જે શુદ્ધ આત્મા ઉપાદેય તત્ત્વ છે, જે ગાા છે. એનાથી-એની પર્યાય ભિન્ન છે. અનંતગુણથી આત્મા અભિન્ન છે અને અનંત ગુણની પર્યાયો જે પ્રગટ થાય, અનિત્ય-નાશવાન (ઉત્પાદવ્યયરૂપ) પછી પર્યાય સાપેક્ષ હો કે નિરપેક્ષ હો! અગુરુલઘુ (ગુણ ) ની પર્યાય, તોપણ વિભક્ત નામ આત્માથી ભિન્ન છે. આત્માથી રહિત છે. એવી પર્યાય માત્રથી રહિત અને અનંતગુણથી સહિત, એવા શુદ્ધાત્માની વાત હું કરીશ. પછી પોતે (કુંદકુંદાચાર્ય દેવ) ફરમાવે છે કે હું તો કહીશ પણ માત્ર મારા કહેવાથી તમે “હા” પાડશો નહીં. તમે પણ અનુભવ કરજો અને અનુભવ કરીને તમે પ્રતીતમાં લેજો, અનુભવ વિનાની પ્રતીતિ, અપ્રતીતિસમાન છે. જ્ઞાનમાં જ્યાં આત્મા જણાયો જ નથી જેને, એને આત્મા કેવો છે એની ખબર ક્યાંથી પડે? માટે તમે પણ, તમારા નિર્વિકલ્પ અનુભવથી પ્રતીતમાં લેજો-આત્મા આવો છે! અમને પ્રતીતમાં એ આવી ગયો છે અને તમને પણ પ્રતીતમાં આવશે. એકને જેવો શુદ્ધાત્મા જ્ઞાનમાં, પ્રતીતમાં, અનુભવમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy