SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૫૪ કેવળજ્ઞાન થાય ત્યારે એકલું અતીન્દ્રિયજ્ઞાન (વર્તે છે) સાધકને બે જ્ઞાન સાથે હોય છે. જ્ઞાન તો એક જ હતું પણ જે બહિર્મુખ થઈને ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પરને જાણીને “અહું' કરતું 'તું એ ઉપયોગને અંતરમુખ વાળીને જ્યારે આત્મા આત્માના દર્શન કરે છે. ત્યારે અતીન્દ્રિયજ્ઞાન નવું પ્રગટ થાય છે. અનાદિનું નહોતું પ્રગટ થયું. “ઉપયોગ” તો (નિરંતર) પ્રગટ હતોઉપયોગ તો પ્રગટ હતો પણ એ સામાન્ય ઉપયોગ બંધ મોક્ષનું કારણ નથી. પણ...એ ઉપયોગ અંદરમાં જઇને અતીન્દ્રિયજ્ઞાન જ્યાં થયું ત્યાં (સાધકને) બે ભાગ પડી ગયા! થોડું અતીન્દ્રિયજ્ઞાન ને થોડું ઇન્દ્રિયજ્ઞાન રહી ગયું!! ચોથા ગુણસ્થાને ઇન્દ્રિયજ્ઞાનનો ક્ષય થતો નથી. તેમ ચોથાગુણસ્થાને એકલું ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી. કોઇ કહે ચોથાગુણસ્થાને એકલું અતીન્દ્રિયજ્ઞાન હોય અને શુદ્ધઉપયોગ કે શુદ્ધ પરિણતિ હોય નહીં, તો એ આચાર્ય ભગવાનનો અનાદર કરે છે. આચાર્ય ભગવાને કહ્યું છે ચોથાગુણસ્થાને શુદ્ધ ઉપયોગમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, અમારી પાસે આધારે છે બધા. આહા..હા ! કહે છે તને એમ નથી કહેતી આ ગંધ કે: “તું મને જાણ ” સૂંઘ અને આત્મા પણ “ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી” જુઓ ! આ વિષય છે ઇ ધ્રાણેન્દ્રિયનો છે. એટલે ક્ષયોપશમ ઇ જાતનો છે ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ. આ તો (બહાર દેખાતું નાક) નિમિત્ત છે. નાક તો નિમિત્તમાત્ર છે. નાકમાં કાંઇ સુગંધ-દુર્ગધ નથી આવતી, અહીંયાં ક્ષયોપશમ છે જે ઇન્દ્રિયજ્ઞાનનો, એને ધ્રાણેન્દ્રિય કહેવાય. અને એ (ગંધ) ઘાણઇન્દ્રિયનો વિષય છે. અતિનાસ્તિ અનેકાંત કર્યું. જ્ઞાનનો વિષય નથી અને ઇન્દ્રિયનો વિષય છે. શું કહ્યું? આત્મા અતીન્દ્રિયજ્ઞાન માત્રનો વિષય છે. અને બાકીના બધા ઇન્દ્રિયજ્ઞાનના વિષયો છે. અસ્તિ-નાસ્તિ અનેકાંત કર્યું! “ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી | એ વિષય છે. સુગંધ- દુર્ગધ એ વિષય છે, પદાર્થ બહારનો ! એમાં ઇ એને જાણે છે. “આવેલી ગંધને છઠ્ઠીગુણસ્થાને (વર્તતા) મુનિ આ લખે છે. કે મુનિરાજ જ્યારે આહાર લેવા ગામમાં પધારે ત્યારે રસ્તામાં અનેક જાતની સુગંધો ફુલની-ઝાડની, ઝાડપાનની ઘણી આવે,! આહા! પણ ઇ કહે છે કે, અમે એને જાણતા નથી કેમ કે ઇ અમારો વિષય જ નથી. અમારો વિષય નથી એટલે અમારો ઉપયોગ આત્માને જાણવાનું છોડી, એકસમય માત્ર એની સન્મુખ થતો નથી. પદાર્થની સન્મુખતો થતો નથી પણ પદાર્થ જેમાં પ્રતિભાસે છે ધ્રાણઇન્દ્રિયમાં, એની સામે ય પણ આંહી જોતા નથી. જેમ ઓલું પરદ્રવ્ય છે એમ ઇન્દ્રિયજ્ઞાન પરદ્રવ્ય છે. ઇ જાણે તો ભલે જાણે ! અમને કાંઇ વાંધો નથી. અમે તો એનાથી જુદા છીએ આત્માને જાણનારા! અમે સુગંધ-દુર્ગધને જાણનારા.. અમે નથી. પરણેયને જાણનારા અમે નથી. છ દ્રવ્યને જાણનારા અમે નથી. અમે તો કેવળ માત્ર પોતાના શુદ્ધાત્માને જાણનારા છીએ !! કેમ કે..જ્ઞાન આત્માનું છે એ આત્માને છોડીને પરને જાણે જ નહીં આહી..હા ! બહુ ભૂલ મોટી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy