________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૧૮
એટલે ઇ પર્યાયને-રાગની પર્યાયને પર્યાય કરે અને આત્મા પણ એને કરે, એમ બે ભાવનો એક કર્તા કે એક ભાવના બે કર્તા, કદી બની શક્તો નથી ત્રણકાળમાં! બે સત્ અલગ-અલગ છે. એક સત્ બીજા સતનું ત્રણકાળમાં કરી શકે નહીં. તો સત્નો નાશ થઇ જાય.
(શ્રોતાઃ) એવા બે સતનું ખંડન થાય તો બે સતનું અસ્તિત્વ મટી જાય તો... આખા જગતનું અસ્તિત્વ મટી જાય! (ઉત્તર:) ખલાસ! બ્રહ્માંડ શૂન્ય થઇ જાય, તો તો! આહા! અજબ-ગજબની વાતો તો બહાર આવી ગઇ છે! આ બધી વાત બહાર આવી ગઇ છે. પણ..ઊંડાણથી જ્યાં કહેવા જાય ત્યાં તો કહે આ તો બધી સૂક્ષ્મ વાતો કરે છે! સૂક્ષ્મ એટલે સત્ય ! તને બેસતી નથી. તારું મગજ ગીરો મૂકી દીધું છે! આહા...હા તું સ્વતંત્રપણે ક્યાં વિચા૨ ક૨શ ? કો 'કના કહેવાથી...આણે આમ કહ્યું ' તું માટે આમ છે, આણે આમ કહ્યું છે ! અરે ! રહેવા દે! તું મરી જઇશ! અજ્ઞાનીને કાંઇ ખબર નથી, ઇ તો બકવાસ કરે છે તત્ત્વ વિષે ! આહા...હા ! આત્માનો અજાણ જીવ શું આત્માની વાત કરી શકશે !
હવે એ દષ્ટાંત પૂરો થયો! આહા...હા ! આ જરાક કડક શબ્દો કહેવાય છે તો એ પણ કેવળ હિત માટે છે હોં ભાઈ! અમને કોઇની કાંઈ ઇર્ષા-ઇર્ષા નથી. અમે કોઈની કાંઇ ટીકા કરતા નથી આખી જિંદગીમાં !
આહા ! માંડ ( માંડ ) અવસ૨ આવ્યો છે છતાં પણ કર્તાબુદ્ધિ ને શાતાબુદ્ધિ બે રાખીશ તું, આ બે મિથ્યાત્વ લઇને જાઇશ, એક મિથ્યાદર્શન ને એક મિથ્યાજ્ઞાન-૫૨ની જ્ઞાતાબુદ્ધિ મિથ્યાજ્ઞાન, ૫૨ની કર્તાબુદ્ધિ મિથ્યાદર્શન ! આહા...હા ! એક શ્રદ્ધાનો દોષ ને એક જ્ઞાનનો દોષ, ૫૨ને ક૨વું ઇ શ્રદ્ધાનો દોષ (છે) અને ૫૨ને જાણવું એ જ્ઞાનનો દોષ ( છે ) આહા...હા !
એવી રીતે હવે દĒત છે-સિદ્ધાંત. ‘બાહ્યપદાર્થો ' ઓમાય (દષ્ટાંતમાં ) બાહ્યપદાર્થો ઘટપટાદિ હતું ને! એમ આંહી ‘બાહ્યપદાર્થો’ બહુવચન છે ને ! ‘બાહ્યપદાર્થો' શબ્દ, રૂપ, ગંધ, રસ ને સ્પર્શ અનુક્રમ જેમ ઓમાં હતું ને! ગાથામાં અનુક્રમ હતો આ રીતે. ઇ જ ટીકાકારે અનુક્રમ રાખ્યો. શબ્દ, રૂપ, ગંધ, રસને સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય, (તે બે) મનનો વિષય ! પાંચ જે છે તે પાંચ ઇન્દ્રિયનો વિષય અને ગુણ ને દ્રવ્ય મનનો વિષય છે. લૌકિક વ્યવહારમાં આવી કથન પદ્ધતિઓ હોય છે.
આ તો લોકોત્તર સિદ્ધાંતની વાત ચાલે ભાઈ...! આહા...હા ! લોકોત્તર સદ્ધાંત નહીં ફરે, તારે ફરવું પડશે ! અહાહા ! તારી બુદ્ધિ ફરશે પણ વસ્તુ ફરશે નહીં. ‘દેવદત્ત યજ્ઞદત્તનો હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ ' લૌકિકમાં તો આવી બધી વાતો ચાલતી હોય છે તેમ...આત્માને એમ. ઓલા દીવાને...અહીંયાં આત્માને....સ્વજ્ઞાનમાં ઓમાં સ્વપ્રકાશનમાં, આમાં આત્માને...સ્વજ્ઞાનમાં એટલે બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી કે: ‘તું મને સાંભળ ’–શબ્દ કહેતો નથી આત્માને કેઃ તું મને સાંભળ! આહા..હા..હા! ઇ જડ છે, ઇ કહેતો નથી કે: ‘તું મને સાંભળ' ‘તું મને જો' પહેલું કર્ણગોચરનું કહ્યું હવે ચક્ષુગોચર, રૂપ છે ઇ એમ કહેતું નથી, આંખને-આત્માને કે તું મને જો! પછી ‘તું મને સૂંઘ ' ઘ્રાણગોચર છે સૂંઘ તો જ્ઞાનગોચર નથી. તો ગંધ-સુગંધ કે દુર્ગંધ એમ કહેતી નથી આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com