SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૧૨ જાણતું નથી, ભવિષ્ય કોઇ કાળ આવશે અને આત્મા ૫૨ને જાણનાર થઇ જશે, એમ બનવાનું નથી. એવી અપૂર્વ ગાથા છે, આની શું પ્રશંસા કરવી! વચનથી પ્રશંસાનો પાર આવે તેમ નથી, એવો ‘માલ ’ ભર્યો છે આમાં ! હવે આજે દશ ગાથાની ટીકા ચાલે છે. ટીકા:- પ્રથમ દૃષ્ટાંત કહે છે ‘આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટ આદિ' પટ એટલે કપડું આદિ વિગેરે, વિગેરે. જેમ લૌકિકમાં આ વાત ચાલે છે-જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષનો હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ એક માણસ બીજા માણસને હાથ પક્કડીને આ કામ મારું કરી દે એમ જોડે તેમ! ‘દીવાને’ હવે દીવાનો દૃષ્ટાંત! આ દષ્ટાંત તો આકરું પડે તેવું છે! તો સિદ્ધાંત તો આકરો પડશે જ! અત્યાર સુધી જેટલા દીવા થાય છે એણે પ૨ને પ્રસિદ્ધ કર્યું જ નથી! ૫૨પ્રકાશક એનો ધર્મ જ નથી! હૈં! દીવો તો સ્વ પ્રકાશક છે!! ઇ સ્વપર પ્રકાશક વ્યવહારનું કથન છે. સ્વપ્રકાશક નિશ્ચયનું કથન છે. વ્યવહારના કથનો સાચા લાગે છે એટલે સંસારમાં રખડે છે! , દીવાને ! આ ઘટપટ આદિ પદાર્થો કહ્યા ને! ‘એને-દીવાને સ્વપ્રકાશનમાં' અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી ’ શું કહે છે? કેઃ ઘટપટ, દીવાને એમ કહેતું નથી કે ‘તું અમને પ્રકાશ’–સ્વપ્રકાશનમાં જોડતો નથી. ભલે, તારો પ્રકાશ ‘દીવાને’ પ્રકાશે, એમાં અમને વાંધો નથી. પણ સાથે...સાથે બાહ્યપદાર્થ એમ કહેતા નથી...કે તું અમને પ્રકાશ ! તેમ. આ દષ્ટાંતે ય આકરું પડે! નહિતર દષ્ટાંત તો સિદ્ધાંતને સહેલું કરવા માટે દષ્ટાંત વધારે સહેલું હોવું જોઇએ, એનાં કરતાં...આ દષ્ટાંતમાં સિદ્ધાંત કહી દીધો! બીજા પદાર્થો એમ કહેતા નથી કે: ‘તું મને પ્રકાશ', એમ બીજા પદાર્થો એમ કહેતા નથી કે: ‘તું મને જાણ ’ એમ લેવું છે, દષ્ટાંત જ બેસે નહીં આહા...હા ! દષ્ટાંતે ય બહુ સમજવા જેવું છે ભાઈ ! (જુઓ ને!) પ્રકાશ થાય છે ત્યારે, ઘડો ને બધું બહારના પદાર્થો પ્રસિદ્ધ થાય છે! ઇ પ્રકાશ, ઘટપટ ( આદિ) ને પ્રકાશતો નથી, પણ એનું (પ્રકાશનું) નિમિત્ત પામીને ત્યાં નવો પ્રકાશ થાય છે! દીવાનો પ્રકાશ એક છે નિમિત્ત! અને ત્યાં ઘડો, કાળા રંગ રૂપે હતો, અંધારામાં દેખાતો નહોતો, પણ આનું નિમિત્ત પામીને, ઇ (ઘડાના) પુદ્દગલની પર્યાય, પ્રકાશરૂપે પરિણમીને એ પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે છે! આનો (દીવાનો) પ્રકાશ, ત્યાં જતો નથી અને ઓલું (ઘડાના પુદ્દગલની પર્યાય) અહીંયાં આવતું નથી. આવી સ્થિતિ છે! કેમ કે ૫૨માણુમાં પણ ‘તમ’ અને ‘પ્રકાશ ’ એવી બે અવસ્થા થાય છે. અંધારું થાય છે-અંધકા૨! એ પણ પુદ્દગલનો ધર્મ છે, જીવનો ધર્મ નથી, જીવમાં અંધારું ન થાય. અંધારું થાય-એ પર્યાય કોની છે? એ પુદ્દગલની છે. (જુઓ ને!) રાત પડે, અંધારું થઇ ગયું તો ઇ અંધારાની પર્યાય છે ને એ કોની છે? કેઃ પુદ્દગલની પર્યાય છે. સવાર થયું સૂર્ય ઊગ્યો, બધું દેખાવા માંડયું! તો ઇ પર્યાય થઇ ઇ કોની છે? ઇ જેની અંધકાર પર્યાય હતી એનો વ્યય થઇ અને એજ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy