________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૯૨ આમાં જો કોઈને પૂછવા જશોને...તો મેળ નહીં ખાય! આ ક્યાંથી વાત સાંભળી ? ખોટી વાત છે. બોલો? આ પંખો ફરે છે કે નહીં? કે હા, ફરતો પંખો છે. બોલો ફરે છે કે નહીં? પંખો દેખાય છે કે નહીં? કે હા, પંખો દેખાય છે. કોણ દેખે છે? કે આત્મા દેખે છે.
આત્માનું જ્ઞાન નથી ! ઇ ભૂલ્યો તું. એ શેયનું જ્ઞાન તે જોય જ છે. આ જોયો છે ને ! એને જાણનારું જે જ્ઞાન છે, તે શેય છે પણ જ્ઞાન નથી. શેયનું જ્ઞાન, તે શેયજ છે. આત્માનું જ્ઞાન તે આત્મા જ છે. આહા...હા! “જેનું જે હોય તે તે જ હોય.'
આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે જ આત્મા છે. “સેટિકા” (ની ગાથાઓમાં) તો ત્યાં સુધી કહ્યું છે કે પરમાર્થથી જોવામાં આવે તો, વ્યવહાર પરને જાણે છે એમ લીધું પહેલી લીટીમાં, ચાલો હવે પરમાર્થથી શું છે? વ્યવહાર પર જાણે છે કેમકે પ્રતિભાસ દેખીને જાણે છે ઈ ધ્યાન રાખજો, જાણે છે એટલે “જાણે છે” એમ ખરેખર નથી. “વ્યવહારે જાણે છે એટલે નથી જાણતો” એમ એનો અર્થ છે. તો “જાણે છે” ઈ આવ્યું ક્યાંથી? વ્યવહારે જાણે છે એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને! હા, કારણ છે ઇ પર પદાર્થોનો પ્રતિભાસ” જ્ઞાનમાં દેખીને, ઉપચાર કરવામાં આવે છે કે પરને જાણે છે.
આ લોકાલોકને જાણે છે ઇ વ્યવહાર છે એમ કહે છે. ભલે ! અસદ્દભૂત વ્યવહાર! પણ ઇ આવ્યું કેમ? ઇ વ્યવહાર ઊભો ક્યાંથી થયો? કે લોકાલોકનો પ્રતિભાસ' એકસમયમાં કેવળજ્ઞાનમાં પણ છે ને આપણા બધાના જ્ઞાનમાં રહેલો છે! અને પરને જાણવું વ્યવહાર, વ્યવહારનો અર્થ પ્રતિભાસ દેખીને...એ અહીંયાં પ્રતિભાસ થયો છે લોકાલોકનો અત્યારે ! (શ્રોતા:) બરાબર !
આહ...ભવિષ્યમાં થનારું કેવળજ્ઞાન એનો પ્રતિભાસ અત્યારે છે! અને સાધકને કોઈ કોઈ વખતે એનો આવિર્ભાવ પરોક્ષપણે થાય છે! પ્રત્યક્ષ તો કેવળી થાય ત્યારે થાય. આહા...હા ! પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે! પરોક્ષ અને પ્રત્યક્ષ એના બે ભેદ છે.
આહાહા! ગુરુદેવે પોતાના અનુભવની વાત કરી હતી અહીંયાં, આપણે બધાએ સાંભળી છે.
(શ્રોતા, સાહેબ! ચોખ્ખું કરો (ઉત્તર) હું? (શ્રોતાઃ) આ ચોકખું કરો જરા ! જરાક (ઉત્તર) હું ચોકખું કરું? ભલે (શ્રોતા) પ્રતિભાસનો આવિર્ભાવ! (ઉત્તર) પહેલાં તો સ્વપર પ્રકાશક શબ્દ મગજમાંથી કાઢી નાંખવો! એની જગ્યાએ સ્વ-પરનો પ્રતિભાસ” થાય છે એમ રાખો!
(શ્રોતા ) પ્રકાશકનો અર્થ જ પ્રતિભાસ થાય, પ્રકાશકનો અર્થ “જાણવું' ક્યાંથી કાઢયું? (ઉત્તર) હા....ક્યાંથી કાઢયું!
(શ્રોતા) સ્વ-પરનો જાણનાર છે એમ બોલતા જ નથી કોઈ, આચાર્ય કોઈ કહેતા જ નથી ! (ઉત્તર) કહેતા જ નથી, આચાર્ય કહેતા નથી પણ બીજા...
(શ્રોતા ) “સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી' એમ કીધું કે નહીં તો “પ્રકાશક' નો અર્થ શું થયો? (ઉત્તર) શું થયો?
(શ્રોતા:) પ્રતિભાસરૂપ થાય છે એટલું જ માત્ર !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com