________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૩
પ્રવચન નં. - ૧૩ પૂછયું તો તને છ ભવ! પર્યાય અપેક્ષાએ પંદર (ભવ હોય) હતા એ કહી દીધું! આહા! પહેલાં તો ધડાકો કર્યો કે તારામાં ભવ નથી! તું કોઇ વાત પૂછે છે આ! તું તો આત્મા છો ! ભગવાન આત્મા ! ભગવાન આત્મામાં ભવ હોય! ભવનો ભાવ નથી તો ભવ ક્યાંથી હોય ? ( ન હોય.).
આહાહા! એવી અપૂર્વ વાતો આ “સમયસાર” માં ભરેલી છે અને જે ભેદજ્ઞાન કરી અને “જાણનાર જણાય છે” (એવી પ્રતીતિમાં આવશે એ તરશે!).
લાંબુ કરશે તો લપસી મરશે અને ટૂંકું કરશે તો અંદરથી ટકી જશે !! (અરે! ભાઈ !) વર્તુળને ટૂંકું કરો ! વર્તુળને ટૂંકું કરો !
અમે ફરવા જતા હતા. મુરબ્બી ખીમચંદભાઈને બધા આવતા ત્યાં, આહાહા ! મુરબ્બી બોલતા (ક) રીડ્યૂસ ધી રેડિય! વર્તુળને ટૂંકું કરો ! અહા ! (પ્રમાણની) બહાર શું રખડો છો! આ દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી પણ પર્યાય ગૌણ કરી, ભેદને ગૌણ કરીને દ્રવ્ય ઉપર (દષ્ટિને) લઈ જા ! અભેદ અનુભવ થશે તને આહા....હા ! “બહારની સાથે શું લેવા-દેવા આત્માને છે એમ જાણી, આ બેસતા વર્ષને દિવસે ભેદજ્ઞાનનો પ્રયત્ન કરી, (નિજ) સ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરતાં, એને જરૂર આત્મલાભ થાય છે.
ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી એમાં મહાન પુરુષાર્થ છે. ભાષા ભલે ટૂંકી કરી નાખી કે દ્રવ્ય તરફ વળધ્રુવ તરફ વળ...એમ ભાષા સહેલીને ટૂંકી કરી, પણ તેમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્ર જ્ઞાન કરે, ધારણા જ્ઞાન કરી લે, પણ..પર્યાયને સ્વલક્ષમાં (આત્મામાં) વાળવી એ પુરુષાર્થ અનંત છે. મહાન અપૂર્વ પુરુષાર્થ છે.
(પૂ. ગુરુદેવશ્રી પરમાગમસાર બોલ નં. ૪૪૬)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com