SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન નથી ! જ્ઞાનસ્વભાવની ભાવના ઘુંટાતા.... જ્ઞાન એકદમ ખિલતું જાય છે!! (જુઓ ને!) લૌકિકમાં પણ જેને પોતાના પુણનો વિશ્વાસ હોય છે, એ જીવ દાનમાં, લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે-પુણ્યનો વિશ્વાસ હોય એને! લોભી જીવને પુણ્યનો વિશ્વાસ ન હોય એટલે ધર્મકાર્યમાં પૈસા ખર્ચે નહીં. એમ કહે છે! “તે જીવ દાનમાં લક્ષ્મી ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે. દાનમાં વધારે લક્ષ્મી ખરચવાથી મારી લક્ષ્મી ખૂટી જશે, એવી તેને શંકા પડતી નથી.' હજી પુણ્યની શ્રદ્ધાની વાત છે આ, આત્માની શ્રદ્ધાની વાત તો આવી રહી! અહાહા એવી તેને શંકા પડતી નથી! તેમ...લોકોત્તર મુનિવરોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે કે મારા જ્ઞાનનો વિકાસ અટકવાનો નથી-મારા સ્વભાવ ને આશ્રયે મારા જ્ઞાનની વૃદ્ધિ જ છે! તે મુનિ(ભગવંતો) બીજાને શાસ્ત્રદાન દેવાને જરાય અચકાતા નથી. આ રીતે મુનિરાજ પણ પોતાને ન્યાયો આવ્યા હોય અંદરમાંથી એને બીજાઓને આપતા જાય છે, એ (કંઈ પણ) છુપાવે નહીં! એવી સ્થિતિ ચારિત્રવત મુનિઓની હોય છે. હવે, એ ચારિત્રદશા પ્રગટ થવાનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે...અને સમ્યગ્દર્શનનું કારણ ભેદવિજ્ઞાન છે! આત્માનો અનુભવ થાય એનું કારણ ભેદજ્ઞાન-ભેદવિજ્ઞાન છે! એ અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા ભિન્ન છે ને ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન છે. બે જ્ઞાનો વચ્ચે અત્યંતઅભાવ છે! આત્મજ્ઞાનમાં ઈન્દ્રિયજ્ઞાનની નાતિ છે. એવા ભેદજ્ઞાનના પ્રકારથી ઈન્દ્રિયજ્ઞાન ઘટતું જાય છે ને આખરે રોકાઈને આત્માનો અનુભવ થાય છે ને પછી તો (એનો) અભાવ થઈને કેવળજ્ઞાન થશે !! આહ...એવી વાત્ આ દશ ગાથામાં (૩૭૩/૮૨) માં (આચાર્ય દેવે ) કરી છે. અહા! જ્ઞાન ને જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન! એટલે જ્ઞાન ને અજ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન! એટલે કે અતીન્દ્રિયજ્ઞાન અને ઈન્દ્રિયજ્ઞાન વચ્ચેનું (ભેદવિજ્ઞાન!) ઇન્દ્રિયજ્ઞાન કહો કે અજ્ઞાન કહો એમાં કાંઈ ફરક નથી! ટીકા ચાલે છે ૩૭૩ થી ૩૮ર ગાથા (શ્રી સમયસાર) તેની ટીકા ચાલે છે. ટીકામાં દષ્ટાંત પૂરું થયું હવે સિદ્ધાંત! એ આત્મામાં ઊતારે છે–આત્માના જ્ઞાનમાં ઉતારે છે, આ ૩૭૩ ગાથા પહેલાં ૩૭ર ગાથા આચાર્યભગવાને કહ્યું છે જુઓ! अण्णदविएण अण्णदवियस्स णो करीण गुणुप्पाओ। તફા ડું સળવળા ૩Míતે સદાવેળા રૂ૭૨ના કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે, તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજ ખરે. ૩૭ર ગાથાર્થ:- અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે, સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. (કહે છે કે:) એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક નથી ! સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy