________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૯
પ્રવચન નં. - ૮ પ્રગટ (જ) છેછે...છે..ને છે (સદેશ-સંદેશ) અનાદિ અનંત, એ પ્રગટ છે. ઈ.... “ત્રિકાળ વર્તી' વસ્તુ છે ને જ્ઞાન (ઉપયોગ) પ્રગટ થાય છે એ સમયવર્તી' છે-પણ વસ્તુ છે, દ્રવ્ય પણ વસ્તુ છે ને પર્યાયપણ વસ્તુ છે. વસ્તુના ધર્મ ને પણ વસ્તુ કહેવામાં આવે છે, સમજાણું?
(જુઓ !) અહીંયા એવો વિકલ્પ ન કરવો કે પર્યાય છે ને ! તે) પરદ્રવ્ય છે ને! હેય છે ને! તો..નહીં સમજાય! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેવું” અહીંયાં ય પ્રધાન કથન છે, ઈ...આત્મભાન કરાવે છે! આહાહા! આ જ્ઞાન પ્રધાન કથન છે.. પણ સમ્યક જ્ઞાન પ્રધાન કથન છે, મિથ્યાજ્ઞાન નથી આમાં આવતું!
“વસુસ્વભાવ”વસ્તુ એટલે, જેમાં ગુણ અને પર્યાયો વસે, તેને વસ્તુ કહેવાય. એકલા ગુણો વસે અને જ્ઞાનની પર્યાય એમાં વસતી નથી એમ છે નહીં, આ ધારણાનો વિષય નથી. (કેટલાકને) દષ્ટિનો વિષય હાથમાં આવી ગયો (એટલે ધારણામાં આવ્યો છે અને જ્યાં એ ( જ્ઞાની) જ્ઞયની વાત કરે, સ્વયની ! (ત્યાં) અહંઠું! આ તો પર્યાયની વાત આવી, આ તો પર્યાયની વાત આવી ! (એમ પર્યાયને ઉડાડે!)
અરે! આ તો ધર્મની વાત છે. પર્યાયની વાત નથી, સાંભળ તો ખરો !!
આહાહા.! જ્ઞાન (પર્યાય) આત્માનો ધર્મ છે અને એ જ્ઞાન વડે આત્મા જણાયા કરે છે એનો નિષેધ ન કર! આહા...હા! એ....જ્ઞાનનો (ઉપયોગનો) નિષેધ કરીશ તો તને અનુભવ નહીં થાય, એ જ્ઞાન આત્મા છે! આહા! એક સમયની પર્યાય પણ આત્મા છે! એ આત્માનો એક ભાગ (અંશ) છે. એ સ્પેરપાર્ટ છે! ને ઈ. આત્માનો સ્પેરપાર્ટ છે! દ્રવ્યઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય ને રાગ એનો (આત્માનો) ભાગ નથી! એ ય ના ભાગમાં જાય છે. આ તો (ઉપયોગ તો) જ્ઞાયકનો એક ભાગ છે.
આહા...હા! એકલા દષ્ટિના વિષયનો પક્ષ, પક્ષ! દષ્ટિનો વિષય તો આવ્યો નથી (અનુભવમાં !) દષ્ટિનો વિષય (જને) આવે, એ જ્ઞાનનો નિષેધ ન કરે ! (આત્મ) જ્ઞાન પ્રગટ થયું ન હોય અને “દષ્ટિના વિષયના પક્ષમાં રોકાઈ જાય, તો અનુભવ નહીં થાય! આહા!
મુંબઈમાં એક એવો બનાવ બન્યો! સીત્તેર જણા, એકલા દષ્ટિના વિષયમાં (પક્ષમાં) એકદમ ચડી ગયા! આહાહા! સીત્તેર જણા! “દ્રવ્ય દષ્ટિ”—પ્રકાશ” નીકળ્યું ને! (માત્ર વાંચીને) એકદમ ધૂને ચડી ગયા બસ! અને જ્યાં કોઈ પર્યાયની વાત..(કરે તો) અરે, (આ તો) પર્યાયની વાત! પર્યાય તો અલોકાકાશમાં છે, લોકાકાશમાં પર્યાય છે નહીં! આ છદ્રવ્યથી ભરેલો લોક, તેમાં જ્ઞાનની પર્યાય નથી ! ઈ...તો (પર્યાયને) અલોકાકાશમાં, બહાર મોકલી દીધી બધાએ ભેગા થઈને હોં? સમૂહ ભેગાં થઈને!
આહાહા! સમજ્યા વિના બધું ચાલે! કંઈ વાંધો નહીં ત્યારે બધું ચાલતું તું!! એટલે ગુરુદેવ પાસે વાત આવવા માંડી કે આવું બધું છે ત્યાં! ( પ્રવચનમાં) ત્યારે રામજીભાઈ જરા ટપકું મૂકે (ગુરુદેવથી) સ્પષ્ટીકરણ કરાવવા કે સાહેબ! પર્યાય તો “હેય' છે, પર્યાય તો “પદ્રવ્ય” છે, આપણે પર્યાયનું શું કામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com