SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૦૮ બનાવ, બને છે કુદરતી ! આહાહા! આ જિનવાણી છે હો? અરેએ જિનવાણી કહેતી નથી કે “તું મને સાંભળ ને?' દિવ્યધ્વનિ એમ કહેતી નથી કે “તું મને સાંભળ'. સર્વજ્ઞ ભગવાન કહેતા હશે? કે આ મારી દિવ્યધ્વનિ છે અમૃત જેવી છે તું સાંભળ! આહા ! સાંભળ, કહે ક્યાંથી? કેમકે આત્માને કાન નથી ને ભાવ ઇન્દ્રિયનો પણ અભાવ છે. ક્યાંથી સાંભળે? અને સાંભળ એમ કહે જ નહીં. આહાહાહા ! એવી અપૂર્વ વાત, અંદરની છે! તો કહે છે કેઃ પર પદાર્થ કહેતા નથી કે તું મને જો, સાંભળ સૂંઘ અને આત્મા પણ પોતાના સ્વભાવને છોડી-“જાણનારને જાણ્યા કરે એને બદલે પરને જાણવા જાય, એવો આત્માનો મૂળ સ્વભાવ નથી.” પણ એ ગાંડાલાલ સમજ્યો નહીં એટલે પરને જાણવાની રૂચિ અને બુદ્ધિ કરે છે, મન કરે છે આહા! આવ્યું ને! મૂઢ જીવ, આવ્યું હતું જુઓ! “આવું જાણીને પણ.... મૂઢ જીવ! અજ્ઞાની બહિષ્કારી! ઉપશમને પામતો નથી!' આહા! ઉદાસીનતા ને પામતો નથી વીતરાગભાવને પામતો નથી. અને શિવબુદ્ધિને છોડીને-કલ્યાણકારી, સમ્યજ્ઞાનની બુદ્ધિને છોડીને-પોતાને જાણવાનું છોડીને પરને ગ્રહવાનું મન કરે છે. પરને જાણવાનું મન કર્યા કરે છે! ચોવીસે (ય) કલાક આનું શું થયું? એનું શું થયું? ઓનું શું થયું? એનું શું થયું? (વિકલ્પની ભઠ્ઠી !) અરે! ભાઈ અરે! મારું શું થયું? ઇ...તો વિચાર આહા ! વિકથા છોડી દે! પ્રમાણની બહાર જવા જેવું નથી અને પ્રમાણમાં પણ અટકવા જેવું નથી.'-આહા! ત્યારે કામ થાય એવું છે! “અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ટ્યુત થઈને’–પોતાને જાણવાનું છોડીને આહા..! ઉપયોગથી આત્મા અનન્ય છે અને એ ઉપયોગમાં આત્મા, બાળ-ગોપાળ સૌને નિરંતર જણાયા કરે છે! એ... “ જાણનારને જાણવાનું છોડી અને જેમાં જ્ઞાન અને આનંદ નથી, એને (પરને) જાણવાનું તું મન કરી રહ્યો છો !! મૂઢ, મોહીપ્રાણી! મિથ્યાદષ્ટિ છો તું. અહાહા ! તને જ્ઞાન ઉદય થશે નહીં, અમે (અમારા અનુભવથી) કહીએ છીએ, એમ તું કર તો મોહનો નાશ થઈ. નિર્મોહ દશા પ્રગટ થશે. બાહ્યપદાર્થો ને જાણવા જતો નથી, લ્યો! એટલી વાત (આચાર્ય ભગવાને) કરી. હવે થોડી સૂક્ષ્મ વાત કરે છે કે જ્ઞાન કેમ પ્રગટ થાય? અને જ્ઞાન કોને જાણે? એજન્ડા ઉપર (આત્મ-અનુભવ માટે) બે વાત છે, હવે! આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય? અને પ્રગટ થયેલું આત્મજ્ઞાન (સત્યજ્ઞાન) કોને જાણે? એના કારણો આપે છે. આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય ? તેનું પણ કારણ આપે છે–લોજીક! અને આત્મજ્ઞાન પ્રગટ થયેલું, કોને જાણે? તેનું પણ (ન્યાય આપી) સ્પષ્ટીકરણ કરશે. આહા ! “પરંતુ, વસ્તુસ્વભાવ” વસ્તુસ્વભાવ શબ્દ પડ્યો છે જુઓ! “વસ્તુસ્વભાવ” એટલે જ્ઞાનમય આત્મા વસ્તુ છે, એનો “સ્વભાવ” જ્ઞાન છે, એનામાં (નિરંતર) જ્ઞાન પ્રગટ થાય છે, સમયે-સમયે “ઉપયોગ લક્ષણ” છે ને! એ પ્રગટ થઈ જ રહ્યો છે. (આત્મ) દ્રવ્ય પ્રગટ થતું નથી, દ્રવ્ય તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy