SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧/૪ આહા..હા! એ...અમને જોય થઈ જાય, ધ્યાનનું ધ્યેય થઇ જાય. ઉપાદેયપણે જોય થઇ જાય અરે! ઉપાદેયપણે તો શેય ન થાય, હેયપણે પણ શેય ન થાય! ને...શેયપણે પણ જોય ન થાય !! આહા....!! આ તો ધર્મના દિવસો છે ને! આરાધનાના દિવસો છે ને!! એક આત્મામાં જ જ્ઞાતા, જ્ઞાન ને શેય-એવા ત્રણ ભેદ થઇ...એક આત્મા છે.! ભેદ કરીને સમજાવવા છતાં પણ એ આત્મામાં ત્રણ કટકા થતા નથી. કેઃ જ્ઞાતા અહીંયાં (મગજમાં) જ્ઞાન અહીંયાં અને શેય પગ પાસે એમ છે નહીં. અખંડ-અભેદ, એક વસ્તુના ત્રણ ધર્મો છે એ ત્રણ ધર્મને ધારીને બેસનાર ધર્મી આત્મપદાર્થ (આત્મદ્રવ્ય ) છે. ધર્મી એક છે, એના ત્રણ ધર્મો છે-જ્ઞાતા પણ આત્મા, શય પણ આત્મા, અને જ્ઞાન પણ આત્મા ! અહીંયાં જ્ઞાતા છે અને જગતના પદાર્થો (ન્યાં એ) મારા જ્ઞાનનું શેય છે, એમ છે નહીં! એ વ્યવહારે તો શેય છે કે નહીં? પણ વ્યવહાર એટલે શું? “કોથળામાં પાંચશેરી” ન રખાય, ચોખ્ખું કરો. કહે! આત્મા જ્ઞાતા અને જગતના પદાર્થો-લોકાલોક, નિશ્ચયે શેય નથી પણ વ્યવહારે મારા જ્ઞાનનું જ્ઞય છે. આહા....જ્યાં સુધી વ્યવહારે જ્ઞાનનું જ્ઞય દેખાશે, ત્યાં સુધી આત્મા...માં શયનો ભેદ, વ્યવહાર પણ દેખાશે નહીં! બેન! આહા...હા! ફરીને..આ તો, આરાધનાના-ઉપાસનાના દિવસો છે! ગણેશ? આહાહા ! મોટો શાકભાજીનો વેપારી છે એ વરસના લાખ-બે લાખ કમાય છે. ગુરુદેવનો અનુયાયી! ભક્ત ચુસ્ત હોં! આહા! એક વખત કહ્યું ! આત્મારાગને કરતો નથી. ભાઈ ! પરમાત્મારાગને કેમ કરે? તેણે કહ્યું ! અરે! પરમાત્માને રાગનું કાર્ય સોંપવું એ તો મોટી મૂઢતા છે. અહા ! બોલો! પટેલ છે. અજૈન હતા પણ જૈન થઇ ગ્યા! અહાહાહા! અરે ! ઊંધું માને તો જૈન પણ અર્જન છે! મીઠાશથી કહેવામાં આવે છે..હિત ખાતર! કહે છે પ્રભુ! જ્ઞાતા પણ આત્મા, શેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા! એવા જ્ઞાતા અને શેયનો વ્યવહાર અંદર છે, વ્યવહારે ય અંદર અને નિશ્ચય પણ અંદર છે... નિશ્ચય અંદર છે ને વ્યવહાર બહાર છે એમ છે નહીં. અભેદમાં ભેદ કરવો તેને વ્યવહાર કહેવામાં આવે છે. અને જે ભિન્ન છે અને જાણે છે તેને વ્યવહાર કહેવામાં આવતો નથી. અહાહા ! એ અતીન્દ્રિયજ્ઞાનનો વ્યવહાર નિશ્ચય બધું અંદરમાં રહેલું છે! એ વાત કહે છે કે બધા પદાર્થો, તને એમ નથી કહેતા કે “તું મને સાંભળ” આંખને કહેતા નથી કે: “તું મને જો' નાક (ને કહેતા નથી) કેઃ “તું મને સુંઘ' આહા! “તું મને ચાખ' “તું મને સ્પર્શ કર' બહારના પદાર્થ એમ કહેતા નથી “તું મને જાણ' આહા! પંચપરમેષ્ઠિ પરમાત્મા એમ કહેતા નથી કે તું મને જાણ અને આત્મા પણ આત્માને જાણવાનું છોડીને પંચપરમેષ્ઠિને જાણવા જતો નથી-એવી સ્થિતિને ધરમ કહેવામાં આવે છે! ત્યારે પંચપરમેષ્ઠિને...દર્શન પૂજા? ભાઈ, આ ભાવ. આર્યજીવને ભાવ આવે! સમ્યગ્દષ્ટિને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy