SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવ પણ પોતાના ક્રમબદ્ધ થતા જડ પરિણામ સાથે તન્મય છે ને બીજા સાથે તન્મય નથી, તેથી તે અજીવ પણ પરનું અક્ત છે; પરંતુ અહીં તેની મુખ્યતા નથી અહીં તો જીવનું અર્તાપણું સિદ્ધ કરવું છે; જીવને આ વાત સમજાવવી છે. [૧૨૯] દષ્ટિ પલટાવીને સમ્યગ્દર્શન પ્રગટ કરે તે જ આ ઉપદેશનું રહસ્ય સમજ્યો આત્માના જ્ઞાયકભાવની આ વાત છે; આ સમજે તો અપૂર્વ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થાય, તેમજ તેની સાથે અતીન્દ્રિય આનંદના અંશનું વેદના થાય. દષ્ટિ પલટાવે ત્યારે જીવને આ વાત સમજાય તેવી છે. આ વસ્તુ માત્ર વાત કરવા માટે નથી, પણ સમજીને અંતરમાં દષ્ટિ પલટાવવા માટે આ ઉપદેશ છે. ક્રમબદ્ધપર્યાય તો અજીવમાં પણ થાય છે, પણ તેને કાંઈ એમ નથી સમજાવવું કે તું અક્ત છો માટે દૃષ્ટિ પલટાવ! અહીં તો જીવને સમજાવવું છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાયક-સ્વભાવને ભૂલીને, “હું પરનો ' એમ માની રહ્યો છે; તેને અહીં સમજાવે છે કે ભાઈ ! તું તો જ્ઞાયક છો, જીવ ને અજીવ બધાય દ્રવ્યો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયમાં પરિણમી રહ્યા છે, તે તેનો જ્ઞાયક છો, પણ કોઈ પરનો ર્જા તું નથી. “હું જ્ઞાયક-ભાવ, પરનો અર્જા, મારી જ્ઞાનપર્યાયમાં ક્રમબદ્ધ પરિણમ્ છું”—એમ સમજીને સ્વદ્રવ્યની દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. દષ્ટિની દિશા સ્વ તરફ વાળે ત્યારે જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે, ને તેને પોતામાં નિર્મળ પર્યાયનો ક્રમ શરૂ થઈ જાય છે. “મારી બધી પર્યાયો ક્રમબદ્ધ-ક્રમસર થાય છે” એમ નિર્ણય કરવા જતાં, તે પર્યાયોપણે પરિણમનારા એવા જ્ઞાયકદ્રવ્ય તરફ દૃષ્ટિ જાય છે. મારું ક્રમબદ્ધપરિણમન મારામાં, ને પરનું કમબદ્ધપરિણમન પરમાં, પરના ક્રમમાં હું નહિ, ને મારા ક્રમમાં પર નહિ, –આવું યથાર્થ ભેદજ્ઞાન કરતાં, “હું પરનું કાંઈ કરું” એવી દષ્ટિ છૂટી જાય છે, ને જ્ઞાયકસ્વભાવસભુખ દષ્ટિ થાય છે. તે સ્વસમ્મુખદષ્ટિનું પરિણમન થતાં જ્ઞાન, આનંદ, વીર્ય વગેરે બધા ગુણોમાં પણ સ્વાશ્રયે અંશે નિર્મળ પરિણમન થયું. [૧૩૦] જૈનધર્મની મૂળ વાત. પંડિત કે ત્યાગી નામ ધરાવનારા કેટલાકને તો હજી “સર્વજ્ઞ ની તેમજ કમબદ્ધપર્યાય ની પણ શ્રદ્ધા નથી. પરંતુ આ તો જૈનધર્મની મૂળ વાત છે, આનો નિર્ણય કર્યા વગર સાચું જૈનપણું હોય જ નહિ. જો કેવળજ્ઞાન ત્રણકાળની સમસ્ત-પર્યાયોને ન જાણે તો તે કેવળજ્ઞાન શેનું? અને જો પદાર્થોની ત્રણેકાળની બધી પર્યાયો વ્યવસ્થિત ક્રમબદ્ધ જ ન હોય તો કેવળીભગવાને જોયું શું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy