SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ અવ્યવસ્થિત? જો વ્યવસ્થિત છે એમ કહો તો તેમાં કયાંય ફેરવવાનું રહેતું નથી, જ્ઞાતાપણું જ રહે છે, અને જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાને જાણ્યું શું? પદાર્થોનું પરિણમન અવ્યવસ્થિત કહેતાં જ્ઞાન જ અવ્યવસ્થિત ઠરશે. કેમ કે અવ્યવસ્થિત હોય તો કેવળીભગવાને જાણ્યું શું? એટલે કેવળજ્ઞાન જ સિદ્ધ નહિ થાય અને આત્માનો જ્ઞાનસ્વભાવ પણ સિદ્ધ નહિ થાય, જ્ઞાનસ્વભાવની ઓળખાણ વગર મિથ્યાત્વ ટળે નહિ ને ધર્મનો અંશ પણ થાય નહિ. [ ૫૫] જીવ કે અજીવ બધાની પર્યાય ક્રમબદ્ધ છે, તેને જાણતો જ્ઞાની તો જ્ઞાતાભાવપણે જ ક્રમબદ્ધ ઊપજે છે. કોઈ કહે કે ““જીવ કયારેક ક્રમબધ્ધ પરિણામે પરિણમે અને કયારેક અક્રમે પણ પરિણમે, તેમ જ અજીવ પણ કયારેક ક્રમબધ્ધ પરિણમે ને કયારેક જીવ તેને અક્રમે પણ પરિણમાવી દે.''–તો એમ નથી. ભાઈ ! જીવ કે અજીવ કોઈનું એવું સ્વરૂપ નથી કે અક્રમે પરિણમે. કેવળજ્ઞાન ચોથા ગુણસ્થાને થઈ જાય ને સમ્યગ્દર્શન તેરમા ગુણસ્થાને થાય-એમ કદી બનતું નથી, પહેલાં કેવળજ્ઞાન થઈ જાય ને પછી મુનિદશા ત્યે એમ પણ કદી બનતું નથી, એવો જ વસ્તુના પરિણમનનો સ્વભાવ છે, ધર્મીને સ્વભાવદષ્ટિમાં જ્ઞાયકભાવનો પુરુષાર્થ ચાલુ જ છે, જ્ઞાનમાં ધીરજ છે, ચારિત્રમાં અ૫રાગ થાય છે તેને પણ જાણે છે, પણ તેને મૂંઝવણ નથી, ઉતાવળ નથી, હઠ નથી, તે તો ક્રમબધ્ધ પોતાના જ્ઞાતાભાવપણે ઊપજતો થકો તેમાં તદ્રુપ છે. [ પ ] અજીવ પણ તેની ક્રમબધ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે. જેમ જીવ પોતાની કમબધ્ધપર્યાયે ઊપજે છે, તેમ અજીવ પણ પોતાની ક્રમબધ્ધપર્યાયપણે ઊપજે છે, જીવ તેનો ર્તા નથી. આ શરીર હાલ-ચાલે, ભાષા બોલાય, તે બધી અજીવની ક્રમબધ્ધપર્યાયો છે. તેનામાં જે સમયે જે પર્યાય થાય છે, તે તેનાથી થાય છે, તે પર્યાયપણે તે અજીવ પોતે ઊપજે છે, જીવ તેનું કારણ નથી, ને તે જીવનું કાર્ય નથી. આમ અકાર્યકારણપણું જીવમાં પણ છે, ને અજીવમાં પણ છે એટલે તેમને પરસ્પર કાંઈપણ કારણકાર્યપણું નથી; આવું વસ્તુસ્વરૂપ બતાવીને અહીં આત્માનો જ્ઞાયક-સ્વભાવ ઓળખાવવો છે. [ ૫૭] સર્વે દ્રવ્યોમાં “અકાર્યકારણશક્તિ.” સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદકઉત્પાધભાવનો અભાવ છે, એટલે કે બંધાય દ્રવ્યોને પર સાથે અકાર્યકારણપણું છે. આ રીતે “અકાર્યકારણશક્તિ” બધાંય દ્રવ્યોમાં છે. અજ્ઞાનીઓ કહે છે કે ““અકાર્યકારણશક્તિ તો સિધ્ધમાં જ છે ને સંસારી જીવોને તો પર સાથે કાર્ય-કારણપણું છે' –એ વાત જૂઠી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy