SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ દષ્ટિ નથી ને પર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઉપર જ જેની દષ્ટિ છે તેને ઊંધી દષ્ટિમાં ક્રમબદ્ધર્યાય અશુધ્ધ થાય છે. આ રીતે દષ્ટિ ફેરવવાની આ વાત છે, પરની દષ્ટિ છોડીને જ્ઞાયક સ્વભાવની દષ્ટિ કરવાની આ વાત છે; એવી દષ્ટિ પ્રગટ કર્યા વગર આ વાત યથાર્થપણે સમજાય તેવી નથી. [ પ૩] “જ્ઞાયક’ના લક્ષ વગર એક પણ ન્યાય સાચો ન આવે. પાણીના લોઢનો જે પ્રવાહ છે તે આડોઅવળો થતો નથી, પહેલાંનો પ્રવાહ પાછળ, ને પાછળનો પ્રવાહ આગળ એમ બનતું નથી, તેમ દ્રવ્ય પોતાના અનાદિ-અનંત પર્યાયોના પ્રવાહુકમને દ્રવે છે-પ્રવહે છે, તે પ્રવાહુક્રમમાં જે જે પર્યાયને તે દ્રવે છે તે તે પર્યાયની સાથે તે અનન્ય છે. જેમ મકાનના બારીબારણાં નિયત છે, નાના-મોટા અનેક બારીબારણામાં જે ઠેકાણે જે બારી કે બારણું ગોઠવવાનું હોય તે જ બંધ બેસતું આવે; મોટું બારણું કાપીને નાના બારણાની જગાએ ગોઠવી દે તો તે મોટા બારણાની જગ્યાએ શું મૂકશે? મોટા બારણાને ઠેકાણે કાંઈ નાનું બારણું બંધ બેસતું નહીં આવે ત્યાં તો સૂતાર દરેક બારીબારણા ઉપર નંબર લખી રાખે છે. જો તે નંબરમાં આઘુંપાછું થાય તો બારી-બારણાનો મેળ તૂટી જાય છે. તેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે ને પદાર્થો તેના જ્ઞય છે, તે પદાર્થોની કમબદ્ધપર્યાયમાં જે પર્યાયનું જે સ્થાન (–સ્વકાળ) છે તે આઘુંપાછું થતું નથી. જો એક પણ પર્યાયના સ્થાનને (પ્રવાહમને) ફેરવીને આઘુંપાછું કરવા જાય તો કોઈ વ્યવસ્થા જ નહિ રહે, કેમ કે એક પર્યાય ફેરવીને બીજે સ્થાને મૂકી તો બીજા સ્થાનની પર્યાયને ફેરવીને વળી ત્રીજા સ્થાને મૂકવી પડશે-એ રીતે આખું દ્રવ્ય ચૂંથાઈ જશે, -એટલે કે તે જીવની દષ્ટિમાં દ્રવ્ય ખંડખંડ થઈને મિથ્યાત્વ થઈ જશે, સર્વજ્ઞતા કે જ્ઞાયકપણું તો સિદ્ધ જ નહિ થાય. “હું જ્ઞાયક છું –એ વાતનું જ્યાં સુધી લક્ષ ન થાય ત્યાં-સુધી એક પણ ન્યાય સાચો સમજાય તેમ નથી. આત્મા જ્ઞાયક અને બધા પદાર્થો શેય, આમ જ્ઞાન અને શય બંને વ્યવસ્થિત છે. જેવા પદાર્થો છે તેવું જ્ઞાન જાણે છે, ને જેવું જ્ઞાન જાણે છે, તેવા જ પદાર્થો છે, છતાં કોઈને કારણે કોઈ નથી–આવું વસ્તુસ્વરૂપ છે. આવું વસ્વરૂપ જાણીને જે જ્ઞાતા થયો તે રાગનો પણ જ્ઞાતા જ છે ને તે રાગ પણ તેના જ્ઞાનનું ય થઈને રહે છે. પદાર્થોની વ્યવસ્થાનો જ્ઞાયક ન રહેતાં ફેરફાર કરવાનું માને છે તેને પોતાના જ્ઞાનનો જ વિશ્વાસ નથી. [ ૫૪] “પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત કે અવ્યવસ્થિત?'' ભાઈ, તું જ્ઞાન છો; જ્ઞાન શું કરે? વસ્તુ જેમ હોય તેમ જાણે. તારું સ્વરૂપ જાણવાનું છે. તે વિચાર તો કર કે પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત હોય કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy