________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- એ તો બહારના ઉઘાડથી થયેલ ધારણાની વાત છે, તે ધારણાનો વિષય આત્મા નથી. પણ સમ્યક મતિજ્ઞાનમાં આત્માને જાણીને જે ધારણા થઈ છે તેનો વિષય આત્મા છે, એ ધારણાથી જ્ઞાની ફરી ફરીને આત્માનું સ્મરણ કરે છે.
-આત્મધર્મ અંક ૪/૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
(૨૯૮) પ્રશ્ન:- સ્મરણ થાય એટલે નિર્વિકલ્પ દશા થઈ જાય ?
ઉત્તર:- સ્મરણ એ જ નિર્વિકલ્પતા છે. નિર્વિકલ્પ સ્મરણમાં અતીન્દ્રિય આનંદની માળા ફરે છે, એ નિર્વિકલ્પ સ્મરણથી મોહ છૂટે છે, વિકલ્પથી મોહ છૂટે નહિ.
-આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
(૨૯૯). પ્રશ્ન:- સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાનમાં ભેદ અને તેનું ફળ બતાવીને સ્પષ્ટ કરો કે સમ્યગ્દષ્ટિ તેમાંથી પોતાનું જ્ઞાન કોને માને છે?
કાર થયેલા જ્ઞાનને વિશેષ જ્ઞાન એટલે કે મિથ્યાજ્ઞાન કહે છે અને તેનું લક્ષ છોડીને એકલા સામાન્ય જ્ઞાનસ્વભાવના આલંબનથી ઉત્પન્ન થએલ જ્ઞાનને સામાન્યજ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન કહે છે. જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈને પ્રગટ થયેલા સામાન્યજ્ઞાન–વીતરાગી જ્ઞાન કહે છે ને તેને જૈન શાસન કહે છે, આત્માનુભૂતિ કહે છે. સામાન્યજ્ઞાનમાં આત્માના આનંદનો સ્વાદ આવે છે. વિશેષ જ્ઞાન એટલે ઈન્દ્રિય જ્ઞાનમાં આત્માના આનંદનો સ્વાદ આવતો નથી પણ આકુળતાનો-દુ:ખનો સ્વાદ આવે છે. પરદ્રવ્યને અવલંબીને જે જ્ઞાન થયું તે વિશેષજ્ઞાન છે. ભગવાનની વાણી સાંભળીને જે જ્ઞાન થયું તે ઈન્દ્રિયજ્ઞાન છે, વિશેષજ્ઞાન છે. તે આત્માનું જ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન-સામાન્ય જ્ઞાન નથી. જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું છે તે સામાન્યજ્ઞાનને પોતાનું જ્ઞાન જાણે છે અને પરને જાણતું ઈન્દ્રિયજ્ઞાન જે અનેકાકારરૂપ પરસત્તાવલંબી જ્ઞાન થાય છે તેને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમ પરશયને પોતાના માનતો નથી તેમ પરના જ્ઞાનને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમ આનંદનો સ્વાદ આવે છે તેને પોતાનું જ્ઞાન માને છે.
-આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૨-૨૯
(૩૦૦) પ્રશ્ન- આત્મજ્ઞાન થવાથી એ વ્રતાદિ રાગ છે એમ ભાસે છે પણ પહેલા તો જલ્દી આત્મજ્ઞાન થતું નથી ને?
ઉત્તર:- જલ્દીનો અર્થ-એનો અભ્યાસ કરવો જોઈએ, રાગ શું છે? આત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com