SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬) સમ્યગ્રાન (૨૮૨ ) પ્રશ્ન:- સભ્યજ્ઞાન પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ ? ઉત્ત૨:- ચૈતન્ય સામાન્યદ્રવ્ય ઉ૫૨ દષ્ટિ કરવી જોઈએ અને તે પહેલા સાત તત્ત્વનું સ્વરૂપ એના ખ્યાલમાં આવવું જોઈએ. વિકલ્પ સહિત સાત તત્ત્વનો નિર્ણય થવો જોઈએ. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૨૮૩) પ્રશ્ન:- બાર અંગનો સાર શું છે? ઉત્ત૨:- અનંતા કેવળી, મુનિરાજ અને સંત એમ કહે છે કે સ્વદ્રવ્યનો આશ્રય કરો અને પદ્રવ્યનો આશ્રય છોડો, સ્વભાવમાં લીન થાઓ અને પરભાવથી વિરક્ત થાઓ. આ જ બાર અંગનો સાર છે. -હિન્દી આત્મધર્મ જુલાઈ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૨૮૪) પ્રશ્ન:- એક આત્માની જ સન્મુખ થવાનું છે તો એને માટે આટલા બધા શાસ્ત્રોની રચના આચાર્યદેવે કેમ કરી ? ઉત્ત૨:- એની ભૂલો એટલી બધી છે એ બતાવવા માટે આટલા બધા શાસ્ત્રોની રચના થઈ છે, કરી નથી, પુદ્દગલથી થઈ છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૨૮૫ ) પ્રશ્ન:- પરના લક્ષથી આત્મામાં જવાતું નથી પણ શાસ્ત્ર વાંચવાથી તો આત્મામાં જવાય છે ને? ઉત્ત૨ઃ- શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy