________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-વિજ્ઞાન: પપ જ્ઞાની રાગ કરે છે કે જ્ઞાન કરે છે તેની ખબર અજ્ઞાનીને નહિ પડે, કેમકે તેને પોતાને રાગ અને જ્ઞાનની ભિન્નતાનું ભાન નથી. સમકિતીને રાગ થતો હોવા છતાં તે જ વખતે જ્ઞાનમાં એકતારૂપે પરિણમન હોવાથી, ને રાગમાં એકતારૂપે નહિ પરિણમતા હોવાથી, તે જ્ઞાની જ છે.
–આત્મધર્મ અંક ૧૯૩, કાર્તિક ૨૪૮૬, પૃષ્ઠ 6
(૧૮૦). પ્રશ્ન- વર્તમાનમાં રાગ હોવા છતાં રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થાય ? જ્યાં સુધી પર્યાયમાં રાગ વિદ્યમાન છે ત્યાં સુધી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે ? પહેલાં રાગ ટળી જાય ત્યાર પછી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા થાય.
ઉત્તર:- એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યકશ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જ તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાયદષ્ટિ છોડીને તારા રાગરહિત સ્વભાવની તું પ્રતીતિ સખજે; એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ એ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી.
પહેલા રાગ ટળી જાય તો હું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું'—એમ નહિ પણ આચાર્યદેવ કહે છે કે પહેલાં તું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરે તો તે સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળે. “રાગ ટળે તો શ્રદ્ધા કરું-એટલે કે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયષ્ટિ છે-પર્યાય મૂઢ છે, તેને સ્વભાવ દષ્ટિ નથી; અને તે મોક્ષમાર્ગ ના ક્રમને જાણતો નથી, કેમ કે તે સમ્યકુશ્રદ્ધા પહેલાં સમ્યફચારિત્ર ઈચ્છે છે. પણ જો પર્યાયદષ્ટિ જ રાખીને પોતાને રાગવાળો માની લ્ય તો રાગ ટળે કઈ રીતે? સમ્યગ્દષ્ટિ જીવો અભિપ્રાય અપેક્ષાએ વીતરાગ છે. અને તે જ અભિપ્રાય પૂર્વકના વિશેષ પરિણમનથી ચારિત્ર અપેક્ષાએ વીતરાગતા પ્રગટે છે. પહેલાં અભિપ્રાય અપેક્ષાએ વીતરાગતા પ્રગટ્યા વગર કોઈ જીવને ચારિત્ર અપેક્ષાએ વીતરાગતા પ્રગટે નહિ. એટલે કે સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યક્રચારિત્ર પ્રગટે નહિ. એમ જે માને છે તે જીવે આત્માના શ્રદ્ધા-ગુણને અને ચારિત્રગુણને સ્વીકાર્યા નથી એટલે ખરેખર તેણે આત્માને જ સ્વીકાયો નથી; તેની દીર રાગ ઉપર છે પણ આત્મ સ્વભાવ ઉપર નથી.
-આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૩-૮૪
(૧૮૧) પ્રશ્ન- જ્ઞાનમાં રાગ જણાય છે, છતાં જ્ઞાનમાં રાગ એકમેક હોય તેવું કેમ લાગે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com