________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૪૧ ઉત્તર- સસ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે. જેવો જેનો પરિચય એવી જ એની પરિણતિ થશે. રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. જેને શરીર આદિનો પ્રેમ છે, જેને પુણ્યનો પ્રેમ છે, એવા લૌકિક જનોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. લોકો માન સન્માન આપે એના પરિચયથી તું મરી જઈશ, સ્ત્રી-પુત્રાદિ કે વેપાર આદિના પરિચયથી તને નુકશાન થશે. તું આનંદનો નાથ પ્રભુ છો ! તારા નિવાસમાં-તારા પરિચયમાં રહે તો તને આનંદ ને સુખ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભય થઈને વિચરે છે તેને હરણ આદિનો ભય હોતો નથી, તેમ તું નિર્ભય થઈને તારા સ્વદેશમાં વિચર!
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩ર-૩૩
(૧૩૬). પ્રશ્ન- આત્મ-અનુભવ થતાં પહેલા છેલ્લો વિકલ્પ કેવો હોય ?
ઉત્તર- છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. રાગથી ભિન્નતાપૂર્વક શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતાં કરતાં ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, જ્ઞાયકધારાની ઉગ્રતા ને તીક્ષ્ણતા હોય ત્યાં છેલ્લો ક્યો વિકલ્પ હોય એનો કોઈ નિયમ નથી. પર્યાયને અંદર ઊંડાણમાં ધ્રુવ પાતાળમાં લઈ જાય ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન થાય છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૧૩૭) પ્રશ્ન- સ્વાનુભૂતિ કેમ કરવી?
ઉત્તર:- રાગની વૃત્તિ પર તરફ જાય છે તેનું લક્ષ છોડીને સ્વસમ્મુખ વળે તો અનુભૂતિ થાય.
-આત્મધર્મ અંક ૪૨૮, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૧૩૮) પ્રશ્ન:- વિષય-કપાયની સતત વિટંબણામાંથી છૂટવાનું સાધન શું?
ઉત્તર:- વિષય-કષાયનો પ્રેમ છોડવો-રુચિ છોડવી, વિષય-કપાયના રાગથી ચૈતન્યનું ભેદજ્ઞાન કરવું તે વિષય-કષાયની સતત વિટંબણાથી છૂટવાનું સાધન છે.
-આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૬
(૧૩૯) પ્રશ્ન:- આ તત્ત્વની ઝાંખી (સંસ્કાર) આવતા ભવમાં રહે એવો કાંઈ ઉપાય ખરો ?
O,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com