SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨: જ્ઞાનગોષ્ઠી સ્વરૂપ આત્મા છું. એવું લક્ષ કરવા જતાં ભેદનો વિકલ્પ તો આવ્યા વિના રહેતો નથી. તો પછી વિકલ્પ રહિત આત્માને ગ્રહણ કેવી રીતે કરે ? ઉત્ત૨:- પ્રથમ ભૂમિકામાં ગુણ-ગુણીના ભેદ આદિના વિક્લ્પો આવે છે અવશ્ય, પરંતુ આત્માના ચૈતન્ય લક્ષણ વડે વિકલ્પોને ભિન્ન જાણીને અભેદ ચૈતન્યની તરફ ઢળવું થાય છે. ભેદ ભલે વચ્ચે આવે, પરંતુ મારા ચૈતન્યમાં તે ભેદ નથી. હું ચૈતન્ય અવસ્થાનો કર્તા, ચૈતન્યમાંથી મારી અવસ્થા કરું, ચૈતન્યદ્વારા કરું ઈત્યાદિ ષટ્કારકના ભેદ આવે ભલે, પરંતુ યથાર્થપણે છયે કા૨કોમાં ચૈતન્ય વસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આ રીતે ચૈતન્યસ્વભાવની મુખ્યતા કરીને ભેદને ગૌણ કરીને સ્વરૂપ સન્મુખ થઈને તેમાં જ એકાગ્રતા કરવાથી ચૈતન્યનું ગ્રહણ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે અને તે જ ઉપાયથી મોક્ષ થાય છે. -હિંદી આત્મધર્મ એપ્રિલ ૧૯૮૨, પૃષ્ઠ ૨૫ ( ૧૦૧ ) પ્રશ્ન:- આત્મજ્ઞાન કરવા માટે ઘણા ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે એ કરતાં કાંઈક સહેલો રસ્તો બતાવો ને? ઉત્ત૨:- આત્મજ્ઞાન માટે ઘણા શાસ્ત્રો ભણવાની ક્યાં વાત છે? તારી પર્યાય દુઃખના કા૨ણો તરફ વળે છે તેને સુખના કારણભૂત સ્વભાવ સન્મુખ વાળ એટલી જ વાત છે. પોતે ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વસન્મુખ થા! આટલી વાત છે. તારી જ્ઞાનપર્યાયને દ્રવ્ય સન્મુખ વાળવી. આ ટૂંકુ ને ટચ છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૧૦૨ ) પ્રશ્ન:- સ્વભાવ સન્મુખ થવા, હું શુદ્ધ છું, જ્ઞાયક છું આદિ ચિંતવન કરતાં કરતાં એવો અપૂર્વ આનંદ આવે છે તે આનંદ અતીન્દ્રિય છે કે કષાયની મંદતાનો તે કેમ ખ્યાલમાં આવે ? ઉત્ત૨:- ચિંતવનમાં કષાયની મંદતા ઘણી થતાં તેને આનંદ માની લ્યે તે ભ્રમ છે, ખરો અતીન્દ્રિય આનંદ નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવતાં રાગ ને જ્ઞાનની ભિન્નતા પ્રતીતમાં આવે છે. એ અતીન્દ્રિય આનંદનું શું કહેવું? અલૌકિક છે. ખરેખરી રુચિવાળા જીવને કષાયની મંદતામાં અતીન્દ્રિય આનંદનો ભ્રમ થતો નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યા વિના તે ઝંપતો નથી. -આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ ( ૧૦૩) પ્રશ્ન:- આત્માના સંસ્કારોને દઢ કરવા શું કરવું ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy